________________
તાત્ત્વિક રીતે આત્મશુદ્ધિ છે. જે વિષયોના વિકારથી, કષાયની કુટિલતાથી છવાયેલું છે, એટલે તને તાત્ત્વિક સંપત્તિની ઓળખ નથી.
તાત્ત્વિક સંપત્તિ એટલે આત્મપવિત્રતા. જે હજી સુધી જાણી નથી. તેની પ્રાપ્તિ પહેલા તને તે પ્રાપ્ત કરવાના સાધનો મળ્યા છે તે તું જાણે છે ?
આર્યદેશ : જયાં જીવનનું સત્ત્વ સચવાઈ રહ્યું છે. આર્યકુળ : જયાં બાળકને જન્મતાં જ ગુણ સંપન્નતા મળે છે. માનવજન્મ : જેનામાં જીવનના મૂલ્યોની વિકસવાની પૂરી શકયતા છે.
સદેવ : વૈરાગ્ય સમતા મૈત્રી આદિ ભાવોથી જગતના હિત માટે જેનું જીવન છે. સદ્ગુરુ-જેનાથી જીવનું તાત્ત્વિક ઘડતર થાય, સુખનો સાચો માર્ગ મળે, સદ્ધર્મ : ધર્મ એટલે સર્વ જીવ પ્રત્યે સમભાવ, પ્રેમભાવ. સાસ્ત્ર ઃ જેના દ્વારા જીવને સાચા જીવનનો બોધ પ્રાપ્ત થાય. આ સંપત્તિ સાથે આવે, જન્માંતરીય સંસ્કાર બની મુક્તિ સુધી પહોંચાડે. તેને સાચવ અને યોગ્ય રીતે ઉપયોગ કર.
૩૮. માતૃપ્રેમનો પુરસ્કાર
પારસ દસ વર્ષનો હતો. ત્રણ વર્ષનો થતા પિતાનું અવસાન થયું. વિધવા મા મજૂરી કરીને બંનેનું જીવન નિભાવતી. પારસ સહજ જ સંસ્કારી હતો. માને કામમાં સહાય કરતો, શાળાએ ભણવા જતો. પૂરતી સામગ્રી ન હોવા છતાં પૂરતી મહેનત કરતો.
હમણાં એકાદ વરસથી પારસ શાળાએ અનિયમિત જતો, ઘરલેસન પણ પૂરતું કરતો ન હતો. એટલે કોઈવાર શિક્ષક ઠપકો આપતા અને ચમત્કાર પણ બતાવતા. પારસ આ બધું સહી લેતો પણ કોઈ ફરિયાદ કરતો નહિ.
માતા એક વરસથી બીમાર હતી. તેની ચાકરી કરવી, જમાડવી તે જવાબદારીથી કરતો. થોડી મજૂરી કરીને પારસ માની ચાકરી બરાબર કરતો. મા આ બધું જોઈને દુઃખી થતી. પણ તે લાચાર હતી. દિવસે
૬૮
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો