________________
જાગો, ભવ્યાત્માઓ જાગો ! જગતની મોહિની ત્યજો, એકવાર અંતરમાં ડૂબકી મારો, રત્નાકરને ઓળખો. પવિત્રતાના પુંજને પૂજો પછી શું મળે છે ? તે કહેવાનું કેમ બનશે ?
મહીં પડયા તે મહા સુખ માણે. યોગીજનોની આ દશા આશ્ચર્ય ઉપજાવે છે.
૪૧. ગુણ જેનું જીવન છે
(શ્રી શ્રીપાળ મહારાજ)
વિશ્વનો મોટોભાગ કર્મફળના સિદ્ધાંતને જાણતો નથી. છતાં કર્મના ફળ આવ્યા વગર રહેતા નથી. કોઈ તેને ભાગ્ય કહે, ડેસ્ટીની કહે, વિધાતા કહે, ઈશ્વરેચ્છા કહે આ બધો શબ્દભેદ છે.
“ઝેર સુધા સમજે નહિ જીવ ખાય ફળ થાય, તેમ શુભાશુભ કર્મનું ભોક્તાપણું જણાય.''
-
• શ્રીમદ્ રાજચંદ્ર વર્તમાન જીવ અશુભભાવનું સેવન કરે છતાં પૂર્વસંચિત પુણ્યથી સુખ ભોગવે, પણ વર્તમાનમાં કરેલા કર્મના ફળ તો ભાવિમાં ભોગવવાના છે.
માનવ પાસે વિકસિત ચેતના છે, જો કે સ્વભાવથી ચેતના સ્વયં શુદ્ધ છે એટલે સુખરૂપ છે, પરંતુ અજ્ઞાનમય અશુભભાવનાઓ, પૌદ્ગલિકભાવો, આરંભયુક્ત પ્રવૃત્તિના ભાવો ઉદયમાં આવે છે. નવું બંધન પેદા કરે છે. અજ્ઞાનવશ જીવ આ રહસ્ય જાણતો નથી અને કર્મબંધન કરે છે.
૭૨
જીવ તો મરતો નથી દેહાંતર કરે છે ત્યારે ભૌતિક કોઈ વસ્તુ લઈ જતો નથી. પરંતુ આ ક૨ેલા શુભાશુભભાવો રૂપ કર્મનું પોટલું અવશ્ય લઈ જાય છે. અને તે પ્રમાણે પુનઃ ભવાંતરે તેવા યોગ મળી રહે છે કે જેના કારણે સુખ કે દુઃખ ભોગવે છે. આ રહસ્ય નહિ જાણનાર અન્યને દોષ આપે છે.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો