________________
અને તમે પ્રભુ ભક્તિ કરવા બેસો.
શત્રુ મિત્ર સમ ગણે,
સમગણે કનક મણિ પાષાણરે. હે રાજા! સાધુ સંન્યાસી નિષ્પરિગ્રહી હોય તે તેમનું સત્વ છે. વળી વગર જરૂરની ચીજો લઈને પછી તેની વૃદ્ધિ થાય છે તે વૃદ્ધિ વસ્તુઓનું આકર્ષણ કરે છે અને સાધુ જંજાળમાં પડે છે.
ભક્તોના ભાવને નામે પોતાની વૃત્તિનું પોષણ કરવાથી મૂલ્યવાન જીવન ગુમાવે છે. માટે સાધુ સંતો આકિંચન્ય રહે છે. તે મુક્ત થાય છે. શુદ્ધ થાય છે.
૧૨. વહેતી મૈત્રી ભાવના છે.
ગરવા જૂનાગઢના નજીકનું એ નાનું સરખું ગામ ત્યાં આભાદાદા વસે ગુણિયલ પત્ની અને સંતાનમાં એક નમણી વહાલભરી પુત્રી નામ ઝમખુ.
કૌટુમ્બિક અને સામાજિક પ્રથા પ્રમાણે કન્યા બાર ચૌદ વર્ષની થાય પર ઘેર વળાવવી જરૂરી ગણાતું.
આભાદાદા દીકરી માટે યોગ્ય પાત્રની શોધમાં હતા. નજીકના ગામના વરજીભાઈના પુત્ર જમનાદાસ તેમના ધ્યાનમાં આવ્યો અને બધું ગોઠવાઈ ગયું.
સમયોચિત આભાદાદાને ત્યાં જાનની પધરામણી થઈ. બધી વિધિઓ પતી ગઈ. આભાદાદાના હૃદયના ટુકડા જેવી કન્યાને વળાવતા દિલ રડી ઊઠયું પણ ઉચિત કાર્યને વિલંબ કેમ પરવડે?
ઝમખુ માની સોડમાં ભરાઈને બેઠી હતી. પણ તેનો ઝમખને છોડ્યા વગર છૂટકો ક્યાં હતો ? માતા પિતાએ કઠણ કાળજુ કરી ઝમખુને વળાવી, સાસરીનું સુખ દુઃખ તેના નસીબ પર જ અવલંબતું.
ઝમખુ સાસરે આવી ત્યારે કે આજે હજી ઘણી જગાએ વહુને ચોપગા પ્રાણીની જેમ રાખવામાં આવતી.
ઝમખુ સ્વભાવથી નમ્ર અને કુશળ હતી. થોડા વખતમાં બધું સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૨૯