________________
આ જનમ પશુ બની ગાળ્યો. હવે બીજા જીવો ને મારવાનું છોડો, આ નદી કિનારે થતા ફળ ફળાદિ ખાવ અને મનખો સુધારો.
મંગળદાસ અને રામદાસ નીચું જોઈને સાંભળતા. વચમાં જરાક ધીમેથી આદત મુજબ ગર્જના અર્થાત્ હોંકારો આપતા. અવાજથી જમનાદાસ જાગી ગયો અજવાળી રાત હતી. પણ આ શું ? વાઘ અને સિંહ ? અને દાદા તેમની સાથે નિશ્ચિંત મને વાતો કરે ? પ્રારંભમાં ગભરાયો પછી ગોદડામાં લપાઈને સૂઈ ગયો ધીમી વાતો સાંભળતો.
પરંતુ આમ વાઘ સિંહનો પણ દાદાના મિત્રોની જેમ સહવાસ જોઈ વિચારવા લાગ્યો, આવા દાદાની દીકરીને પૂજવાને બદલે મારવા નીકળ્યો છે ?
સવાર પડી બોધ પામી અતિ નમ્ર બની ચાલી નીકળ્યો. થોડા દિવસ પછી ઝમખુ ને લઈ ગયો અને પ્રેમભાવે જીવવા લાગ્યો. આભાદાદાની સિંહ વાઘ સાથેની મૈત્રીએ તેના જીવનમાં પલટો લીધો.
આભાદાદાની પણ જીવમાત્ર પ્રત્યે કેવી ભાવના ? કે સિંહ વાઘ જેવા હિંસક પ્રાણીઓ પણ મિત્રો બની રહેતા. મંગળદાસ અને રામદાસને વાચકે ઓળખ્યાને ?
૧૩. સૌમાં પરમાત્મા વસે છે !
સર્વ જીવ કરૂં શાસનરસી
આ વીર-વીતરાગની વાણી છે.
સર્વજીવ સમાન છે. સિદ્ધતા સૌનો સમાન ગુણ છે. પ્રગટ થયો તે પૂજાય. અપ્રગટ થયેલા જીવો સાથે જૈન શાસનની ગરિમા સૌ પ્રત્યે સમભાવની છે. સંત પૂ. વિનોબાજી ગૃહસ્થવેશે હતા. પરંતુ ગુણે સંત સમાન હતા બાળપણથી જ તેમના લક્ષણ પ્રગટયા હતા.
એકવાર આંગણે પપૈયું પાક્યું હતું. ત્રણે ભાઈઓ ખુશીથી મા પાસે દોડયા. મા પપૈયું પાકયું છે. મા કહે જાળવીને લઈ આવો. મા
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૩૧