________________
હતો. એક આંખે કાણો પણ પૂરો લંપટ, દારૂનો વ્યસની, શિકારમાં શૂરો. એવામાં તેની બીજી આંખે પણ અંધાપો આવ્યો. તે વૈદ્યરાજના ઘરે પહોંચ્યો, ચાર દિવસ ધક્કા ખાધા પણ વૈદ્યરાજ મળે જ નહિ. એકવાર યોગ થઈ ગયો. વૈદ્યરાજ ખૂબ કામ કરીને થાક્યા હતા. તેથી કંટાળીને બોલ્યા આંખમાં આકડાનું દૂધ નાંખજે. | કુરુ ઘરે પહોંચ્યો, એના આંગણાની પાછળ આંકડાનો છોડ હતો. તેના દીકરાની પાસે પાંદડા મંગાવી દૂધ બે ત્રણ વાર નાખ્યું અને જાણે ચમત્કાર થયો હોય તેમ કુદેખતો થઈ ગયો. એ તો ફળફળાદિ લઈ વૈદ્યરાજને ત્યાં પહોંચ્યો. ત્યાં ખૂબ ભીડ હતી. રાહ જોઈને બેઠો. સાંજે વારો આવ્યો. વૈદ્યરાજના ચરણમાં પડ્યો, શું થયું? વૈદ્યરાજ હું તો આકડાના દૂધના ટીપાંથી દેખતો થઈ ગયો. આપે બતાવેલા ઉપાયથી હું દેખતો થયો.
વૈદ્યરાજ વિચાર કરે છે કે મેં તો તેને દૂર કરવા આ ઈલાજ કહ્યો હતો. આંકડાના દૂધથી આંખ બગડે, સુધરે નહિ, આવા શિકારી અને દુરાચારીને ઉપાય કરવાનો કંઈ અર્થ ન હોય પણ મેં તો કંટાળીને ઉપાય કહ્યો હતો અને તેની આંખ સારી થઈ ગઈ. આશ્ચર્ય? - વૈદ્યરાજ તો આયુર્વેદનો ગ્રંથ લઈને બેઠા અને તેમાં જોયું કે જે આંકડાના છોડને દૂધથી રોપવામાં આવે તેના પાંદડાના દૂધથી આંખને તેજ મળે. વૈદ્યરાજે ગ્રંથ બંધ કર્યો. કુન્ને કહે ચાલ તારે ઘરે આવું છું. મારે એ આંકડાનો છોડ જોવો છે. | કુરુતો ખુશ થઈ ગયો. જેમના કારણે પોતે દેખતો થયો હતો તે તેને માટે ભગવાન હતા. તેઓ તેના ઘરે પધારશે? એના જેવું રૂડું શું
વૈદ્યરાજ કુરુને ઘરે પહોંચ્યા. આંકડાના મૂળને ખોદાયું તો જાણાયું કે તેના મૂળ માં દૂધનું સિંચન બાપદાદાઓએ કર્યું હતું. કુરુને આંખનું તેજ મળ્યું તેનું રહસ્ય મળી ગયું. દૂધના પાત્રમાં છોડ વાવ્યો હતો.
વૈદ્યરાજ પ્રસન્ન થયા. કુરુએ વૈદ્યરાજને ભેટ આપવા માંડી, તેઓ તો નિઃસ્પૃહ હતા. તેમને કંઈ જોઈતું ન હતું તેમણે કહ્યું જો તારે મને ભેટ આપવી હોય તો, હવેથી વ્યસન, શિકાર છોડી ભક્તિ સત્સંગમાં સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૦૩