________________
શ્રીપાળ પરદેશ ગમનથી પાછા ફર્યા ત્યારે આઠ રાણીઓને પરણીને આવ્યા હતા. જયારે આઠ રાણી સાથે શ્રીપાળ આવ્યા માતાને પ્રણામ કર્યા. આઠ રાણી મયણાને નમે છે ત્યારે મયણાના મુખ પર પૂર્ણ વાત્સલ્ય પ્રગટે છે. સૌ સુખ વહેંચીને જીવીશું. સૌનું પુણ્ય સૌને મળે છે. તેમાં દ્વેષ રેડવાની શું જરૂર?
માનવને જીવન મળે છે. તે ધરતી પર પગ માંડે છે. ત્યારે જે કંઈક લાવ્યો છે તે પૂર્વના સંસ્કાર છે. પણ આ માનવજીવન તે સંસ્કારના બળને વિકસાવવા મળ્યું છે તે પાંચે ઈન્દ્રિયોના ભોગ પૂરતું સીમિત
નથી.
મયણા શ્રીપાળે પૂર્વના ગુણો પર કેવી ભાત પાડી ? ધવલને જોઈને રજ માત્ર પણ અભાવ નહિ પરતું માનભર્યો સ્વીકાર !
મયણાને શ્રીપાળને આઠરાણીઓ સાથે જોઈને વિકલ્પ આવતો નથી કે આમાં મારું સ્થાન કયાં? “આવો દીકરીઓ સુખ વહેંચીને માણશું.” ગુણની ગરિમા આવી છે. પ્રેમની સચ્ચાઈ આવી છે.
ખર્ચે ન ખૂટે વાંકો ચોર ન લૂંટે, દિન દિન બઢત સવાયો.” રામ રતન ધન પાયો.
૪૨. સાધનાનું સાતત્ય
બુદ્ધિમાન કે તર્કવાન માનવને પૂર્વની સાધનાની પરંપરા સમજાતી નથી. એટલે વર્તમાન જીવનમાં પણ તે એવા ગુણાત્મક વૈભવને માણી શકતો નથી.
ભગવાન મહાવીરના સમયમાં ધન્નાજી નામે વૈભવશાળી શ્રેષ્ઠિ થઈ ગયા. આઠ પત્નીઓના સ્વામી હતા. તે કાળે બહુ પત્નીત્વએ સમાજને સ્વીકાર્ય હતું.
ધન્નાજીને આઠ પત્નીઓ સ્નાન સમયે વિલેપન કરી રહી હતી. ત્યાં અચાનક તેમના વાંસા પર ગરમ આંસુના ટીપાં પડયા. તેમણે સત્ત્વશીલ-તત્વમય પ્રસંગો
૭૫