________________ થઈ જાય છે. આપણા સંપર્કમાં આવનારી એક વ્યક્તિ પણ આપણા સ્વભાવથી સંતોષ ન પામતી હોય તો ચોરાશીના ચક્કર લલાટે લખાઈ જાય તેવી શક્યતા પૂરેપૂરી છે. ઘરની કોઈ પણ વ્યક્તિને તમારા સ્વભાવની કોઈ ફરિયાદ તો ન જ હોય ને ? આ ગુસ્સો તમારા પરિવારની પ્રસન્નતાને પણ તોડી નાંખે છે, આવા ગુસ્સાને પણ શું હજુ સંઘરવો છે ? ઘૂંકી દો ગુસ્સો. જુઓ પછી ઘર એ સ્વર્ગ લાગશે. જીવન જીવવા જેવું લાગશે. બાકી ક્રોધી માણસના જીવનમાં કદાપિ પ્રસન્નતા જોવા નહીં મળે. તમે તમારા ઘરના ચાર મેમ્બરને સંતોષ નથી આપી શકતા. અમારા દાદાગુરુદેવ શ્રીભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા પોતાના ર૫૦૨૫૦ શિષ્યોને સંતોષ આપી શકતા. કારણ એટલું જ છે કે એમનો સ્વભાવ રોયલ હતો, માયાળુ હતો, દયાળુ હતો. જે તમારો નથી. (D) “પ્રમાણિકતા એ જ અમારો મુદ્રાલેખ” Honesty is the Best Policy ધંધામાં ખૂબ જ સરસ છાપ ઊભી કરવા વપરાતા આ વાક્યને ખરેખર તમે અમલી બનાવતા હશો કે નહીં ? તે ખબર નથી. પણ, “ક્ષમા એ જ મારા જીવનનો મુદ્રાલેખ'' આ વાત અપનાવો તો જ સ્વસ્થતા મળે તેવી શક્યતા છે. નક્કી કરો-આજે મારે મારી તોછડી પ્રકૃતિનું વિસર્જન કરી નાખવું છે. ગુસ્સો, હવે ન ખપે. ક્રોધ, હવે ન ચાલે. અપશબ્દો, હવે મારા મોઢામાં ન શોભે. આવેશ, હવે મારામાં ન મળે. રીસ, હવે તે ફરી ન આવે તિરસ્કાર, હવે એને દેશવટો મળી ગયો. બસ, 15