________________
( ૧૨ )
શ્રી ઋષિમડલવૃત્તિ ઉત્તરાદ્ધ
પાસે ગઇ. ત્યાં સાધ્વીએ પૂછ્યું “હે સુશ્રાવિકા તું કયાંથી આવી છે ?” રાણીએ પોતાના સર્વ વૃત્તાંત કહ્યો એટલે ફરી સાધ્વીએ કહ્યું. “બહુ દુ:ખના મંદિરરૂપ આ સંસારમાં જે કાંઇ સુખના આભાસ દેખાય છે તે ખરેખર મહા સ્વસામાં રાજ્યની પેઠે ભ્રમરૂપજ જાણવા. હે શુભે! વધારે શું કહું પરંતુ ચતુર્વિધ સંઘ,શ્રીજિનમત અને જિનેશ્વર વિના ખાકીના સર્વે સંસારના વિસ્તાર સત્પુરૂષોએ ત્યજી દેવા ચેાગ્ય છે.” સાધ્વીનાં આવાં વચન સાંભળી વૈરાગ્યવાસિત થએલી રાણીએ તુરત ચારિત્ર અંગીકાર કર્યું. કહ્યું છે કે ધર્મના કાર્યને વિષે કયા પુરૂષ વિલંબ કરે! પદ્માવતીએ પોતાના ચારિત્રમાં વિઘ્નના ભયથી વિદ્યમાન એવા ગર્ભની વાત જણાવી નિહ પરંતુ જ્યારે તે સ્વાભાવિકપણાથી પુષ્ટ થઇ ત્યારે સાધ્વીઓએ તેના ગર્ભની વાત જાણી. ઉત્તરવૃદ્ધિના પ્રશ્નથી સર્વ વૃત્તાંત જાણે છતે સાધ્વીઓએ, પેાતાના ધર્મના ઉદ્ગાહના ભયથી તેણીને એકાન્ત સ્થાનમાં ગુપ્ત રીતે રાખી. પછી અવસરે પદ્માવતીએ પુત્રને જન્મ આપ્યા. તેને તેણીએ રત્નકખળમાં વીંટાળી નામ મુદ્રા સહિત તુરત સ્મશાનમાં મુક્યા. આ પ્રકારના બાળકને જોઇ અત્યંત પ્રસન્ન થએલા સ્મશાનપતિ જન ગમે તેને લઈ લીધેા અને પેાતાની સંતાનરહિત સ્ત્રીને સોંપ્યા. આ સર્વ વૃત્તાંત પદ્માવતીએ ગુપ્ત રીતે રહીને જોયા. તેથી તે બહુ હર્ષ પામી અને પછી પોતે સાધ્વીઆની આગળ “મ્હારા પુત્ર જન્મ પામ્યા પછી તુરત મૃત્યુ પામ્યા.”
હવે અહિં જનગમ ચાંડાલના ઘરને વિષે પેાતાના શરીરે લેાકેાત્તર તેજને ધારણ કરતા તથા પાડયું છે અપતિ નામ જેનું એવા તે પદ્માવતીના પુત્ર વૃદ્ધિ પામવા લાગ્યા નિર'તર બહાર જતી એવી પદ્માવતી સાધ્વી પુત્રના સ્નેહથી તે ચાંડાલણીના સંગાથ તેમજ તેણીની સાથે મધુર વાતા કરતી. અનુક્રમે વૃદ્ધિ પામતા એવા તે કુમાર બીજા માલકાની સાથે ક્રીડા કરતા છતા રાજતેજથી કાચના કકડામાં પડેલા મણિની પેઠે શેલતા હતા. ગર્ભથીજ માંડીને બહુ શાકાદિકના દોષથી એ અપકતિ નામના બાળકને શરીરે કડુલતા ( ખરજ ) નામના રોગ થયા તેથી ભૂપતિની પેઠે સામન રૂપ બનેલા તે અપણુંત, પાતાના શરીરે જ્યાં ખરજ આવતી ત્યાં સર્વ ખાલકા પાસે ખજવલાવતા તેથી લાકમાં તેનું કરક ુ નામ પડ્યું. જો કે કરકં ુ, પાતાની માતાને એલખતા ન હતા, તે પણ તે, પદ્માવતી સાધ્વીને દેખી બહુ હર્ષ પામતા, તેણીના આગળ વિનય કરતા અને તેણીને ષિષે બહુ પ્રીતિ રાખતા. ઠીકજ છે માતા ત્રિના ખીજાને વિષે એવા અંતરના પ્રેમ ક્યાંથી હાય ? અર્થાત્ નજ હાય. પદ્માવતી સાધ્વી પણ નિરંતર ભિક્ષામાં મળેલા મેઇકાદિ સરસ આહાર તે કુમાર કરકતુને આપતી. અહા ! નિશ્ચય સાધુપણામાં પુત્રસ્નેહ દુ:સહ્યજ હાય છે. ચક્રવર્તિના ચિન્હથી મનેાહર અંગવાળા તે છ વર્ષના કુમાર કરકડું, પાત્તાના પિતાની આજ્ઞાથી કર્મના દોષવડે સ્મશાન ભૂમિનું રક્ષણ કરતા હતા.
એકદા કરકડુ સ્મશાનમાં ઉભા હતા એવામાં ત્યાં થઈને જતા એવા કોઇ