Book Title: Dharmni Disha
Author(s): Kanakvijay
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મની દિશા ધર્મથી સુખ અને પાપથી દુઃખ પ્રાપ્ત થાય છે, એ સર્વસામાન્ય સિદ્ધાંત છે, છતાં લેકે સુખની ઈચ્છા તો જરૂર કરે છે, પરંતુ ધર્મના વર્તનથી ઘણું જ દૂર રહે છે. દુખની ઈચ્છા કરતા નથી ને પાપ કરતાં પાછું વાળીને જોતા પણ નથી; એવા લેકેને સુખની પ્રાપ્તિ ક્યાંથી હોઈ શકે ?, એ ઘણું વિચારવા જેવું છે. હવે સામાન્યપણે ધર્મનું કારણ કયું છે? તે આપણે વિચારીએ:" श्रूयतां धर्मसर्वस्वम् , श्रुत्वा चैवावधार्यताम् । आत्मनः प्रतिकूलानि, परेषां न समाचरेत् ॥१॥" ઉપરોક્ત વચનથી આપણે વિચારવાનું એ જ છે કે, આપણુ આત્માને પ્રતિકૂલતાથી જેવું દુઃખ થાય છે, તેવું પ્રતિકૂલતાથી બીજા છાને પણ દુઃખ અવશ્ય થાય છે જ. એ પ્રતિકૂલતાથી આપણે તેમને અવશ્ય બચાવવા, એજ સામાન્યપણે ધર્મને સાર ગણાય. આ વચનને વિચાર કરી લેતાં, રાજ્યનીતિને અને સામાન્ય નીતિને અંગીકાર કરીને, એ પ્રમાણે વર્તવાથી ગૃહસ્થોને પણ સારે લાભ થવા સંભવ છે. કર્યા કમ ભેગવ્યા વિના છુટકે નથી અપરાધી ને ન્યાયપૂર્વક એગ્ય શિક્ષા કરવી એ નીતિ છે, પણ નિરપરાધી ને ઘાતાદિકથી દુ:ખી કરવા, એ તો નીતિથી પણ બહાર ગણાવું જોઈએ. ઘાતાદિક કરનારને તેનું ફલ ભેગવવું જ પડે છે. રાજા હોય કે રંક હોય, પરંતુ તેમાં કઈને કશે પણ ઉપાય ચાલે તેમ નથી. કહ્યું છે કે, ૧-મહામાત. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 169