Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
કે જે ગુજરાત સહિતના સ્થાપના અને સ્થિરતા પ ગુજરાતમાંની ગેરહાજરીને લાભ લેવા પ્રયત્ન કર્યો. એણે વેરાન માર્ગેથી ત્યાં આવી પહોંચી એ ભાગ ઉપર આક્રમણ કર્યું. સુલતાન અહમદશાહ પૂર ઝડપે ભરૂચથી ત્યાં જઈ પહોંચ્યો. દરમ્યાન દૂશંગશાહને બળવો સમી ગયાની ખબર મળતાં એ માળવા પરત ચાલ્યો ગયે ૨: આ આક્રમણ વખતે બહુધા એણે ઘણી લૂંટફાટ કરી હતી સુલતાન અહમદશાહને એક અમીર ઇદુલમુક એની પાછળ પાછળ ગુજરાતની સીમા સુધી ગયો. એણે ત્યાંથી પાછા ફરતાં જે રાજપૂત જમીનદારોએ સુલતાન દૂશંગશાહને સાથ આપ્યો હતો તેમને પકડી સુલતાન અહમદશાહ આગળ હાજર કર્યા અને એણે એમને એગ્ય સજા કરી.
અમદાવાદ વસાયુ
આ બળવો શાંત કર્યા પછી અહમદશાહ અસાવલમાં આવ્યા. ત્યાંનાં હવાપાણી એને પસંદ આવ્યાં, આથી એણે પોતાના પીર શેખ અહમદ ખ ગંજબક્ષની સંમતિથી અસાવલની ઉત્તરે નવું નગર વસાવ્યું (ઈ.સ. ૧૪૧૧). એનું નામ અહમદશાહના નામ પરથી “અહમદાબાદ' રાખવામાં આવ્યું. આ જ હાલ “અમદાવાદ' તરીકે જાણીતું છે. અહમદશાહે હવે પોતાનું પાયતખ્ત અણહિલવાડ પાટણથી ત્યાં ખસેડયું.
પાદટીપે
૧. એનું મૂળ નામ “મુહમ્મદ' હતું. અને સુલતાન નાસિરુદ્દીન મુહમ્મદશાહ તુગલકે “તાતારખાન' ખિતાબ એનાયત કરીને એને વજીર નીમ્યો હતો.
૨. મિરાતે સિવારી, . ૧૬
૩. તણૂકાતે આવર, મા. 3, પૃ. ૬૦; તારી કવિતા (૩ મનુવા) મા. ૪, ૬. ૧૮૧-૧૮૨
૪. મિર્માતે સિરી(g. ૨૨)માં કર્તાએ એ જણાવ્યું છે કે મુઝફરશાહે અસાવલમાં પોતાના પુત્ર તાતારખાનને તખ્ત ઉપર બેસાડ્યો અને એ પોતે નિવૃત્ત થશે પરંતુ પાછળથી એ જ લખે છે કે ગુજરાતના લોક એવું કહે છે કે તાતારખાને પોતાના બેટા સલાહકારની ચડવણથી પિતાના પિતાને કેદ કરી રાજ્યની લગામ પોતાના હાથમાં કરી લીધી હતી. અન્ય ઈતિહાસમાં કેદ કર્યાની વાતને સમર્થન મળે છે (જેમ કે મિરાતે અમરી, મા. ૧, પૃ. ૪ રૂ); જોકે સલ્તનત તરફથી બતાવેલી જે નેધે છે તેમાં તો ઝફરખાને વહીવટ પોતાના પુ ના હિતમાં છોડી દીધાનું જણાવવામાં આવેલું છે (“તારી મહમૂદશાહી', હસ્તપ્રત, મુંબઈ).