Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪ થુ]
અમદાવાદ : ગુજરાતનું' મશહૂર પાટનગર
[૬૩
મહમૂદશાહ બેગડાના ભરણુ પછી એત્રણ વર્ષમાં ગુજરાત આવેલા યુરાપીય મુસાફર ખારોસાએ તેાંધ્યુ છે કે અમદાવાદ ચાંપાનેરથી માટુ છે, ઘણું સમૃદ્ધિમાન છે, એમાં ઘણી વાડીએ બગીચા વગેરે છે, રસ્તા મેટા અને સુંદર છે, ચેાઞાન સારાં છે, પથ્થર અને ઇચૂનાનાં ધોળાયેલાં અને છાપરાંવાળાં છે, એના કૃવા અને તળાવમાં ઘણું પાણી છે. ૧૮
મહમૂદશાહ બેગડાના સમયથી ગુજરાતના સુલતાને વધુ વખત ચાંપાનેરમાં રહેતા થયા, એ અમદાવાદ આવતા ત્યારે કાંકરિયા પાસે ધટામંડળના મહેલેામાં ઉતારા કરતા, આથી ભદ્રને બાદશાહી મહેલ વપરાતા એ થયે।. બહાદુરશાહના સમયમાં મુઘલ બાદશાહ હુમાયૂએ લશ્કર સાથે અમદાવાદમાં કાંકરિયા તળાવ આગળ પડાવ નાંખ્યા ત્યારે એણે આ સુંદર શહેરને કઈ નુકસાન ન થાય એની ખાસ કાળજી રાખી હતી.૧૯ ગુજરાતની મુખ્ય ટકશાળ અમદાવાદમાં હતી. અમદાવાદના નામવાળા સિક્કાઓમાં અમદાવાદને ‘શહરે મુઆઝમ' (મહાન શહેર) કહેલુ છે.૨૦ અહમદશાહે અહમદાબાદ વસાવ્યું ત્યારે આસ્તેડિયા, અસારવા, ખામ દરાલ (દાણી લીમડા) અને રખિયાલ—એ બાજુનાં ગામેાના એમાં સમાવેશ કરવામાં આવ્યા; અસાવલ અને મ ઝુરીને પરાં બનાવવામાં આવ્યાં, તે ખામદરાલ, અસારવા, અસપુર, ચ ંદ્લાડિયા અને ઘાટલેડિયાનું હવેલી પરગણું કરવામાં આવ્યુ`.૨૧ મુઘલકાલીન અમદાવાદ
મુલ બાદશાહ અકબરે ગુજરાત જીતી લીધું ત્યારથી ત્યાં મુધલ બાદશાહેના સૂબેદારાને વહીવટ શરૂ થયા તેએનુ વડુ મથક અમદાવાદ હતું. એમાં અનેક નામાંક્તિ સમ્મેદાર તેમજ બીરબલ અને ટાડરમલ જેવા નામાંકિત માણસ અમદાવાદમાં આવી વસ્યા હતા.
૨૨
અકબરના સમયના અબુલફઝલે આઈને અકબરી'માં નાંધ્યુ છે કે અમદવાદ સાબરમતી ઉપર સારી રીતે નોંધાયેલુ' મેાટું શહેર છે, સ્થળ આાગ્યવાળુ છે, ત્યાં આખી દુનિયામાં બનતી ચીજો મળી શકે છે, એને બે કિલ્લા છે ને એની બહાર પણ શહેર છે. એમાં પહેલાં ૩૬૦ પરાં હતાં, પણ હવે ૮૪ પુરાં સારી હાલતમાં છે. પથ્થરની એક હજાર મસ્જિદ છે ને એ દરેકને અમ્બે મિનારા છે.૨૩
‘તારીખે ફરિશ્તા’માં લખ્યું છે કે અમદાવાદ એકદરે આખા હિંદુસ્તાનમાં સથી સુંદર શહેર છે અને એને કદાચ આખી દુનિયામાં પણ સર્વાંથી સુંદર કહી શકાય. એના મુખ્ય માગ એકી સાથે દસ ગાડી પસાર થઈ શકે તેટલા પહેાળા છે. ૨૪