Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સલ્તનત કાર્ય
૩૪ ]
'લજીથી નવસારી
આ બધા (ખત પારસીઓનું મુખ્ય મથક સંજાણુ રહ્યું, જ્યાં આતશ બહેરામ ની સ્થાપના થઈ હતી, પરંતુ સંજાણુ પર થયેલા મુસ્લિમ આક્રમણે તેને ત્યાંથી સ્થળાંતર કરૠની ફરજ પાડી. આ આક્રમણની વિગતે અન્ય કાઈ ગ્રંથમાં મળતી નથી, પરંતુ કિસ્સેસ'જાન'માંથી જ પ્રાપ્ત થાય છે. આ ફ્રારસી કાગ્ય મેરમન `કેાબાદ સંજાણાએ નવસારીમાં ઈ.સ. ૧૬૦૦ માં રચ્યુ' હતું. એમાં જણાવ્યું છે કે ચાંપાનેરના સુલતાન મહમૂદશાહે સંજાયુને પેાતાના તાબામાં લેવા માટે અર્ખાન નામના સરદારને ૩૦,૦૦૦નું લશ્કર આપી રવાના કર્યો. આ ખબર સાંભળીને ત્યાંના હિંદુ રાજા મેહેાશ થઈ ગયે. જ્યારે એ હાશમાં આવ્યા ત્યારે એ પોતાના રાજ્યતા પારસી મેભેદ હરભેદો અને ખેહેદીનેાતે માલાબ્બા અને દવા વિનંતી કરી. અરદેાર નામના સરદારે ૧૪૦૦ પારસીએને તૈયાર કર્યો અને પેાતે અલક્ખાન સાથે યુદ્ધમાં ઊતર્યાં. પ્રથમ વાર અરદેશરની જીત થઈ. હારી ગયેલા અલફખાન ીથી ચારગણું લશ્કર લઈને ચડી આવ્યા. આ બીજી વખતના યુદ્ધમાં વીર્ અરદેશર દુશ્મનનું તીર વાગવાથી ધાડા ઉપરથી પડી ગયા અને મરણ પામ્યા. સંજાગુના હિંદુ રાજાનું પણ ભરણુ થયુ. ૧૨૪ સુજાણુમાં પારસીઓની જે મેટી વસાહત હતી તે છિન્નભિન્ન થઈ ગઈ. લડાઈમાં હાર્યાં પછી ત્યાં બાકી બચેલા પારસીએએ પેાતાની સાથે આતશ મહેરામને લઈને થાડા સમય માટે બાહરોટના પહ!ડ ઉપર જઈ વસવાટ કર્યાં.૧૨૫ ‘- કિસે સંજાન ’માં જણાવ્યા મુજબ અહી ૧૨ વષ' રહીને પારસીઓએ વાંસદા તરફ્ પ્રયાણ કર્યુ. વાંસદાના લેાકાએ આતા બહેરામનું ભવ્ય સ્વાગત કર્યું, અહી` ૧૪ વર્ષ રહી એમણે પેાતાના ધર્મ અને આતશનું રક્ષણ કર્યું.... નવસારીના સરદાર ચાંા બિન આશાની પ્રેરણાથી આતશ બહેરામને નવસારી લઈ જવામાં આવ્યા. એમની ખિદમતમાં ત્રણ દસ્તૂર હતા—નગેનરામ ખુરશેદ અને જાન્યાન.
સંજાણુમાંથી નવસારી સુધી થયેલાં પારસીઓનાં આ સ્થળાંતરાને ચોક્કસ સમય નક્કી કરવા મુશ્કેલ છે. સંજાણ પરનું મુસ્લિમ આક્રમણુ કયા સુલતાનના સમયમાં થયું હશે એ વિશે વિદ્વાને.માં મતભેદ છે. સરદાર અલખાનને કેટલાક ઉલ્લખાન તે કેટલાક અલ્પમાન ધારે છે, પરંતુ એ તેા અલાઉદ્દીન ખલજીના સમયમાં થયા. સુલતાન મહમદને કેટલાક દિલ્હીના સુલતાન મુહમ્મદ તુગલક માને છે, જ્યારે ખીજા કેટલાક એને ગુજરાતના સુલતાન મહમૂદ બેગડા ધારે છે.૧૨૪ ‘કિસ્સે સ`જાત ’માં આ સુલતાનના પરિચય ચાંપાનેરના સુલતાન તરીકે આપેલા હાઈ એ મહમદ મેગડા હોય એ મત સહુથી વધુ બંધ એમે છે, તે આ આક્રમણ ઈ.સ. ૧૪૮૧ અને ૧૫૨૧ ન! વચ્ચે થયું ગણાય.