Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૨૨
સલ્તનત કાલ
કે પિતરાઈ આનાં ઉદાહરણ છે. ગુજરાતના સિક્કાઓની ભારતની સિક્કાશ્રેણીમાં સહેજ જુદી તરી આવે તેવી બીજી એક વિશિષ્ટતા એ છે કે સેના અને ચાંદીના સિક્કાઓનું લખાણ તાંબાના સિક્કાઓ માટે પણ વાપરવામાં આવ્યું હતું. મહમૂદશાહ ૧ લા, મુઝફફરશાહ ૨ જા, મહમૂદશાહ ૩ જા, અહમદશાહ ૩ જા અને મુઝફફરશાહ ૩ જાતા આવા તાંબાના સિક્કા સારી સંખ્યામાં મળે છે. | સામાન્ય રીતે એક સુલતાન એકથી વધુ લકબ કે કયા ધારણ કરતો નહિ એટલે એના સિક્કામાં પણ પહેલેથી લઈ છેલ્લે સુધી એક જ લકબ અને એક જ કુન્યા મળે છે, પણ ગુજરાતમાં આના અપવાદરૂપ બહાદુરશાહ અને મુઝફરશાહ ૩ જાના બે ચાર સિક્કાઓમાં એકથી વધુ લકબ અને કુવાનો પ્રયોગ થયાનાં ઉદાહરણ મળે છે.
લખાણની ગોઠવણ પણ સેંધપાત્ર છે. સાધારણ રીતે સુંદર નખ શૈલીમાં એ અમુક નમૂનાઓમાં ખૂણાદાર કૂફી શૈલીથી પ્રભાવિત છે. સિક્કા-લખાણેની ગોઠવણ કલાત્મક હોઈ આકર્ષક બની છે.
સિક્કાઓ ઉપર ટંકામણ-વર્ષ મોટે ભાગે અંકિત છે. સામાન્ય રીતે વર્ષ સંખ્યા આંકડામાં આપવાની પ્રથા હતી, પણ અહમદશાહ ૧ લાના અમુક ચાંદીના સિક્કાઓ અને બહાદુરશાહના થડા તાંબાના સિક્કાઓ પર વર્ષ આંકડામાં નહિ, પણ શબ્દોમાં આપવામાં આવ્યું છે.
સલ્તનતની ટંકશાળો વિશે ઐતિહાસિક સાધનામાં કંઈ માહિતી ઉપલબ્ધ નથી, પણ ટંકશાળનું નામ ધરાવતા સિક્કા ઠીક ઠીક સંખ્યામાં મળી આવ્યા છે એ પરથી જે ટંકશાળો વિશે જાણકારી મળે છે તે અહમદનગર(હાલનું હિંમતનગર) ચાંપાનેર મુસ્તફાબાદ(જૂનાગઢ) અમદાવાદ બુરહાનપુર દીવ અને દોલતાબાદ(વડોદરા) છે.
ટંકશાળ-નગરનું નામાધિકરણ પણ ગુજરાતની સિક્કા-શ્રેણીની એક વિશિષ્ટતા ગણાય. અમદાવાદ અહમદનગર મુસ્તફાબાદ(જૂનાગઢ) અને ચાંપાનેર માટે માનસીક ઉપનામને પ્રયોગ થયો છે. પ્રામુઘલકાલીન સિક્કા-શ્રેણીમાં લગભગ અજ્ઞાત એવી આ પ્રથા મુઘલકાલમાં પણ વધુ વ્યાપક રીતે અપનાવાઈ નથી એ જોતાં ગુજરાતની શ્રેણીની આ પહેલ ગણાય.
સંકશાળ-ચિહ્ન (mint-mark) કે અલંકાર અથવા આભૂષણની પ્રથા ભારતના બીજા ભાગના મુકાબલે પશ્ચિમ હિંદમાં, ગુજરાત અને માળવામાં, વધુ વ્યાપક હોવાનું જણાય છે. ગુજરાતમાં આ પ્રથા પ્રમાણે સિક્કા-શ્રેણીમાં આરંભથી એટલે કે મુઝફ્ફરશાહ ૧ લાના સમયથી અત્યાર સુધીમાં આવાં સેલ ચિહ્ન મળ્યાં છે.