________________
w
શ્રીહષિમકલ વૃત્તિ ઉત્તરાદ્ધ આપ.” મરીચિએ કહ્યું. “સાધુ પાસે જઈને તે ધર્મને તમે અંગીકાર કરે.” કપિલે કહ્યું. “હે મરીચિ ! શું હારી પાસે તે ધર્મ નથી. જેથી તું ધર્મ ગ્રહણ કરવા માટે મને બીજા સાધુઓ પાસે મેલે છે?” મરીચિ મનમાં વિચાર કરવા લાગ્યો કે નિધ્યે આ બકમી દેખાય છે. કારણ બીજા કેઈએ નહિ પૂછેલું તે એ મને પૂછે છે. હું એક શિષ્યની શોધ કરું છું. જે હારી વૃદ્ધાવસ્થામાં સેવા કરે. માટે આ પુરૂષ હારે શિષ્ય થઈને હારી પાછલ બહુસંસારી થાઓ.” આમ ધારીને બહુ સં. સારીપણાથી મરીચિએ તેને કહ્યું કે “હે કપિલ! હારી પાસે ધર્મ છે અને સાધુઓ પાસે પણ છે. પછી મરીચિ, ઉસૂત્રના નિરૂપણથી કેડીકેડી સાગર પ્રમાણ અને નિરંતર દુઃખના સમૂહના સ્થાન રૂપ સંસાર ઉપાર્જન કર્યો. ઈવાકુકુલમાં ઉત્પન્ન થએલો તે મરીચિ આદિનાથ સમાન આયુષ્ય ભોગવીને અને તે પોતાના કાર્યની આલેચના લીધા વિના મૃત્યુ પામીને પાંચમા દેવલેકમાં દેવતા થયે. ત્યાંથી ચવીને કેલ્લાક નામના સંનિવેશમાં કેશિક નામે બ્રાહ્મણ થયે, ત્યાં પણ તે એંશી લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી મિથ્યાત્વના પિષણ થકી મૃત્યુ પામીને દીર્ધકાલ પર્યંત ચાર ગતિરૂપ સંસારમાં બહુ કાળ ભમી સ્થણા નગરીમાં પુષ્પમિત્ર નામે બ્રામણ થયે. ત્યાં બેતેર લાખ પૂર્વનું પૂર્ણ આયુષ્ય ભાગવી. અંતે સંન્યાસી થઈ મૃત્યુ પામીને સિધર્મ દેવલોકમાં દેવતા થયે. મરીચિને જીવ ત્યાંથી આવીને ચૈત્ય સંનિવેશમાં અને ગ્નિદ્યોત નામે ઉત્તમ બ્રાહ્મણ થયે. તે ભવમાં તેણે ચોસઠ લાખ પૂર્વનું આયુષ્ય ભગવ્યું. છેવટ સંન્યાસી થઈને મૃત્યુ પામી ઈશાન દેવલોકમાં દેવપણે ઉપન્યા. ત્યાંથી અવિને મંદિરક સંનિવેશમાં અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થયે. તે ભવમાં છપ્પન પૂર્વનું સુખમય આયુષ્ય ભેગવી અંતે પરિવ્રાજક દીક્ષા લઈ ત્રીજે દેવલેકે ગયે. ત્યાંથી ચવીને તે મરીચિને જીવ તાંબિકા નગરીમાં ભારદ્વાજ નામે બ્રાહ્મણ થયો. ત્યાં ચુંમાલીશ લાખ પૂર્વનું આયુષ્ય ભેગવી અંતે સંન્યાસી થઈ મૃત્યુ પામીને મહેંદ્ર દેવલોકમાં બહુ સુખવાળે દેવતા થયે. ત્યાંથી આવીને તે બહુ કાલ પર્યંત સંસારમાં ભમીને રાજગૃહ નગરમાં સ્થાવર નામે વિપ્ર થયે. તે ભવમાં ચેવિશ લાખ પૂર્વનું આયુષ્ય ભેગવી છડીવાર સંન્યાસી થઈ મૃત્યુ પામીને પાંચમાં દેવકને વિષે દેવતા થયે, બહુકાલ સંસારને વિષે ભમીને પછી તે મરીચિને જીવ, રાજગૃહ નગરના વિશ્વનંદિ રાજાના બંધુ વિશાખાભૂતિ યુવરાજને બલવાન, ગુણવાન અને સર્વ રાજાઓને પ્રિય એ વિશ્વભૂતિ નામે પુત્ર થયે. વિશ્વનંદી રાજાને વિશાખનંદી નામે પુત્ર છે. પરંતુ તે, વિશ્વભૂતિ કુમારથી રૂપ, ગુણ અને લક્ષ્મીએ કરીને રહિત હતે. એકદા વિશ્વભૂતિ, પિતાની પ્રિયા સહિત નંદનવન સમાન સુગંધવાળા કીડા ઉદ્યાનમાં એક માસ પર્યત ક્રીડા કરવા ગયે હતું. ત્યાં તેને ક્રીડા કરતે જોઈ વિશાખનંદિએ ઈષ્યથી પિતાના પિતાને કહ્યું કે “હે તાત! આ વિશ્વભૂતિ કીડા કરે છે. તે ઉદ્યાનને તમે ખેડાવી નાખો જેથી હું હારી ઈચ્છા પ્રમાણે ક્રીડા કરું. નહિ તે આ