________________
લેખ સંગ્રહ
[૪૫] જગતમાં ખરાં કામનાં ઉપયોગી આભરણ
કયા કયા છે? ૧ સારાં આચરણવડે પિતાના મનને પ્રસન્ન કરે તે જ સુપુત્ર સમજ, સ્વસ્વામીનું હિત છે, પતિના-સ્વામીના ચિત્તને સંતોષ ઉપજાવે તે જ સન્નારી સમજવી, સુખ દુ:ખમાં સમભાગી રહે-સુખમાં છકી ન જાય અને દુઃખમાં દીનતા ધરી દૂર થઈ ન જાય, પણ હાથે હાથ મેળાવી રહે તેને જ સન્મિત્ર સમજવા, ઉક્ત મનમાન્ય સંગ પુનેગે જ મળે છે.
૨ કરુણાવંતના કર્ણ કુંડલવડે નહિ પણ શ્રુતજ્ઞાનવડે જ શોભે છે, હસ્તકમળ કંકણવડે નહિ પણ દાનવડે જ શોભે છે અને કાયા ચંદનવડે નહિ પણ પરોપકારવડે જ શોભે છે. કરુણાવતને દેહાદિક બાહ્ય વસ્તુ ઉપર મોહ-મમતા હોતી નથી, પણ સારાં સુકૃત્ય કરવામાં જ તેઓ દત્તચિત્ત હોય છે.
૩ જેમ ચન્દ્ર-સૂર્ય સ્વાભાવિક રીતે જ પ્રકાશ આપે છે અને મેઘ પ્રાર્થના કર્યા વગર જ વર્ષે છે તેમ સજને સ્વયમેવ પરોપકાર કરવા પ્રવર્તે છે.
૪ વિવેકી રાજા, દાનેશ્વરી-દાતાર ગૃહસ્થ, વૈરાગ્યવાન વિદ્વાન, સુશીલ સ્ત્રી અને સંગ્રામમાં ધીર અશ્વ–એ પાંચ પૃથ્વીનાં ભૂષણ છે.
પ અનંત જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણતિ જેમાં ઝળહળી રહી છે એવા અરિહંત–વીતરાગ પરમાત્માની પરમ શાન્તમુદ્રામાં અથવા વૈરાગ્યરસમાં ઝીલી રહેલા સંત-સુસાધુ જનનાં