________________
લેખ સંગ્રહ
[ ૭૩ ] જોઈએ. દુખીજને દિલાસો તન-મન-ધનથી દઈ તેમને દુઃખમુક્ત કરવા બનતા પ્રયત્ન કરવો જોઈએ. તેમનું દુઃખ દેખી દિલ દ્રવિત થવું જોઈએ અને તે દુ:ખને નિર્મૂળ કરવા બુદ્ધિબળથી વિચારી એગ્ય ઉપાય જવા જોઈએ. તેમ કરતાં કંટાળે લાવો ન જોઈએ; ધીરજ આપીને અને ધીરજ રાખીને સફળ પ્રયત્ન કરવો જોઈએ; તેમ જ વળી સુખસમૃદ્ધિવંતને અને સગુણશાળી સજજનોને નિહાળી દિલમાં સંતેષ-આનંદ-પ્રમોદ લાવવો જોઈએ, કેમ કે ઉત્તમ ગુણેને આપણામાં આકર્ષવાને એ અતિ ઉત્તમ અને સરલ માર્ગ કહ્યો છે. સાચા મિત્રનાં આવા અનુકરણ કરવા યોગ્ય લક્ષણો-ગુણ શાસ્ત્રકારે વખાણ્યા, છે તે આપણને પ્રાપ્ત થાઓ. ઈતિશમ.
[ જે. ધ. પ્ર. પુ. ૩૩, પૃ. ૧૨૭ ]
શાસ્ત્રશિક્ષાસંગ્રહ ૧ ધર્મસેવા કેવળ ચિત્તની પ્રસન્નતાથી યા પ્રમાદથી બજાવવી જોઈએ.
૨ કેવળ હૃદયની નિર્મળતા યા પ્રસન્નતા જ પ્રભુને પ્રસન્ન કરી શકશે.
૩ કદાપિ જન્મ મરણ કરવા ન પડે એવી રીતે નિર્મળનિષ્કલંક વર્તન રાખી રહે. મન, વચન, કાયાથી શુદ્ધ વર્તન કરવા લક્ષ રાખો.
૪ સદબુદ્ધિ પામીને આત્મતત્વનું શોધન કરે–પિતાને પિછાનો.