Book Title: Lekh Sangraha Part 01
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 331
________________ [ ૩૦૦ ] શ્રી કપૂરવિજયજી वनं हि सात्त्विको वासः સાધકને માટે એકાન્ત-અરણ્યવાસ જ હિતકર છે. એકાન્ત-અરણ્યવાસ–નિરુપાધિક સ્થળનિવાસ જ સાધકજને માટે અધિક ઉપગી છે. સહુ કઈ શ્રેય: સાધકજનેને “શરીરબળ, મનોબળ અને હૃદયબળનું પિષણ આપનાર એકાન્ત-અરણ્યવાસ છે. ” જ્યાં ચિત્ત-સમાધિમાં ખલેલ પડે, જ્યાં અનેક પ્રકારના સંકલ્પવિકલ્પ ઊભા થાય અને જ્યાં વસવાથી સંયમયેગમાં હાનિ પહોંચે એવા સ્થળમાં નિવાસ કરે અથવા એવા ઉપાધિમય સ્થળ સમીપે વાસ કરવો એ સાધકજને માટે હિતકર નથી. શાસ્ત્રકાર કહે છે કે હેત વચન મન ચપળતા, જનકે સંગ નિમિત; જન સંગી હવે નહિં, તાતે મુનિ જગ મિત્ત.” અર્થાત્ લકપરિચય-ગૃહસ્થ લોકો સાથે નિકટ સંબંધ જોડી રાખતાં સ્વહિત સાધક-સાધુજનને સંયમમાર્ગમાં ઘણું આડખીલે નડે છે-ઊભી થાય છે. ગૃહસ્થજનોને-સ્ત્રીપુરુષોનો અધિક પરિચય કરવાથી સાધુ યોગ્ય સમભાવ-સમતા ટકી શકતી નથી, એટલે રાગ, દ્વેષ, મહાદિક દોષ ઉપજે છે, વિષયવાસના પણ કવચિત જાગે છે અને જ્ઞાન, ધ્યાન, બ્રહ્મચર્ય પ્રમુખ અનેક અમૂલ્ય ગુણ-રત્નોનો લોપ-નાશ થાય છે, એટલે સાધુ સહેજે સત્વહીન-શિથિલાચારી થઈ જાય છે. બ્રહ્મચર્યવંત સાધુજનોને ભગવતે જે નવ વાડ (બ્રહ્મ ગુપ્તિ)

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358