________________
[ ૧૧૮ ]
શ્રી કપૂરવિજયજી ૩૦ નીચ પરાધીનતાને જ નરક સમાન બંધનરૂપ સમજે.
૩૧ સ્વતંત્રતા-નિઃસ્વાર્થતા-નિ:સ્પૃહતા યા સંતોષવૃત્તિમાં જ ખરું સુખ છે.
૩ર પ્રાણીવર્ગને પરિણામે હિતકારી થાય એવું કથન તે જ સત્ય સમજે.
૩૩ પ્રાણીવર્ગને વહાલામાં હાલા પોતાના પ્રાણ હોય છે. એટલે સહુને જીવિત વ્હાલું છે, મરવું કોઈને વ્હાલું લાગતું નથી, તેથી જ સંત મહાશયે ઘેર પ્રાણવધનો સર્વથા નિષેધ કરે છે
૩૪ કોઈ પ્રકારના પ્રત્યુપકારની ઈચ્છા વગર અપાય તે જ દાન સાચું.
૩૫ પાપમાર્ગથી નિવર્તાવી પુન્યમાર્ગમાં જડે તે જ મિત્ર સાચે. ૩૬ સુશીલતા એ જ સત્ય પ્રકાશ સમજે.
૩૭ પ્રિય અને હિત એવું સત્ય બોલવું એ જ મુખનું ભૂષણ સમજે.
૩૮ ઢંગધડા વગરનું જ્યાં ત્યાં ભમતું ચપળ મન જ અનર્થકારી સમજે.
૩૯ સર્વ કોઈના હિતચિતવનરૂપ મૈત્રી ભાવનાને સુખદાયક સમજે.
૪૦ અહિંસાદિક મહાવ્રતોનું યથાર્થ પાલન અથવા હિસાદિક પાપમાત્રને સર્વથા ત્યાગ એ જ સર્વ પ્રકારનાં દુઃખને અંત કરનાર છે.