________________
[ ૧૩૬ ]
શ્રી કરવિજયજી
આપણાથી સુખે સેવી શકાય એવાં પવિત્ર વ્રત-નિયમાને ગુરુગમ્ય સમજી-આદરી, તેનુ યથાવિધિ આરાધન કરી સ્વમાનવજીવન સફળ કરીએ. ઇતિશમૂ.
[ હૈ. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૨૦૨ ]
મોક્ષના અર્થી બંધુઓ તથા બહેનાને બે બાલ.
૧ જેમ બને તેમ પરમા દૃષ્ટિથી ચપળ મન અને ઇન્દ્રિયાને કબજે રાખી, વિષયતૃષ્ણાને તજી, સંતેષવૃત્તિને આદરી, શુદ્ધ અંત:કરણથી બ્રહ્મચર્ય –સુશીલતાને સેવી, સ્વવી શકિતનુ સારી રીતે સ ંરક્ષણ કરી, તેને સ્વપરના કલ્યાણકારી ઉપ્તાર માટે ઉપયાગ કરવા તમારું લક્ષ દ્વારા અને પેાતાના તેમ જ પરના આ દુ:ખ-દરિયામાંથી ઉદ્ધાર કરી માનવભવ સફળ કરે। આ માનવભવાદિક દુર્લ`ભ સામગ્રી પામ્યાનું એ જ ફળ છે કે તેથી સ્વપરનું કલ્યાણ કરી લેવુ.
૨ તમારા વિચાર, વાણી અને વર્તન-આચારને જેમ બને તેમ પવિત્ર-નિર્દોષ-નિષ્પાપ મનાવા. એમ કરવાથી તમે સહેજે બ્રહ્મચર્ય ના લાભ પામી શકશે.
૩ આપણા મન, વચન અને કાયાને મેાકળા નહિ મૂકી દેતાં તેમને સારી રીતે કેળવીને કબજે રાખતાં શીખવું કે જેથી તે આપણને ઊલટે ( અવળે માર્ગે ) ખેંચી નહિ જતાં ઊલટાં આપણાં કામમાં મદદગાર થશે અને આપણું હિત જલદી સધાશે.
૪ મનનુ છૂટાપણું, જીભનુ છૂટાપણુ અને આચારમાં શિથિલપણું ( મોકળાપણું ) જ ભારે નુકશાન કરે છે-સ્વપરને