Book Title: Updesh Mala
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 28
________________ અસદશ” = અસમાન એવું વિશેષણ મૂક્યું?) ઉત્તર : (સામાન્યથી એક હકીકત છે કે પોતાના કરતાં કોઈ નીચો વ્યક્તિ આપણને હેરાન કરે, આપણને સંભળાવી જાય એ સહન ન થાય' એથી) “નીચા જનવડે કરાયેલી કદર્થનાઓ દુઃખેથી સહન કરી શકાય એવી હોય છે આવું જણાવવા માટે અહીં ‘ક ’ વિશેષણ મૂક્યું છે. જીવના અંતને કરનારા' આ શબ્દમાં જે “નીવ' શબ્દ છે તે પ્રાણધારી જીવ'ને આશ્રયીને નથી વપરાયો. પણ “જીવવાની ક્રિયાને લઈને વપરાયો છે માટે “નીતિ = ગૌવ:' એમ ન ખોલતાં “નવનું નીવ:' આવી વ્યુત્પત્તિ ખોલી અને એનો અર્થ કરે છે કે પ્રાણોને ધારણ કરવું તે, તે જીવનો = જીવનનો (જ) અન્ત = વિનાશ, તે = વિનાશ કરવાનો છે સ્વભાવ જેનો = જીવાત્ત કરનારા (પ્રશ્ન : એ “જીવના અન્તને કરનારા' કોણ છે?) ઉત્તર : “દુષ્ટ વર્તનો” એમ જણાય છે. અર્થાત્ ગાથામાં લખ્યું નથી પણ પ્રસ્તુતને આધારે જણાય છે. તિ' = આવા પ્રકારના (આનો અન્વય “જીવાત્ત કરનારા' શબ્દની પહેલા કરવાનો છે. એથી આવા પ્રકારના જીવના અન્તને કરનારા” આવો અર્થ થશે.) (પ્રશ્ન ઃ આવા પ્રકારના એટલે કેવા પ્રકારના?) ઉત્તર : “રૂતિ' શબ્દ વડે “ઉપસર્ગના કાળ દરમ્યાન થનારા, પ્રાણનો નાશ કરવામાં હોંશિયાર = સમર્થ એવા સંગમનું પ્રભુ તરફ ચક્ર છોડવું વિગેરે પ્રકારને ગ્રંથકારશ્રી બતાડે છે. (અહિંયા પાછો ઉપરનો અન્વય સહિતનો અર્થ જોઈ લેવો પછી આગળ વધવું.) હવે શિષ્યને આશ્રયીને કહે છે કે : (તો) આ = અનન્તર - હમણાં પ્રભુના દૃષ્ટાન્ત દ્વારા કહેવાયેલી = આવા પ્રકારના સ્વરૂપવાળી એટલે કે આપણા પ્રાણનો ત્યાગ કરાવવામાં પ્રવૃત્ત = પ્રયત્નવાળો એવો પણ પર= બીજો વ્યક્તિ હોતે છતે માધ્યચ્ય કરવાં = “શરીરને વિષે રાગ નહીં તથા ઉપસર્ગ કરનારને વિષે દ્વેષ નહિ” એવો મધ્યસ્થભાવ ધારણ કરવા સ્વરૂપ ક્ષમા સર્વસાધુઓની હોય (આ જ પંક્તિનો ભાવાર્થ બતાડે છે કે) ભગવાનના અનુષ્ઠાનને = ઉપસર્ગો વખતે પણ ક્ષમા રાખવા રૂપ અનુષ્ઠાનને હૃદયમાં ધારણ કરીને = વિચારીને એ પ્રમાણે સર્વ સાધુ ભગવંતો વડે પ્રાકૃત = સામાન્ય લોકવડે કરાયેલા એવા પણ તર્જન = તિરસ્કાર, તાડન = માર વિગેરે ઉપસર્ગો સહન કરવા યોગ્ય છે = એ વખતે ઉપર કહેલ મધ્યસ્થભાવ કેળવવા યોગ્ય છે. (પણ એની જગ્યાએ એવા અવસરે આમ ન વિચારવું જોઈએ કે - “આવો નાનો-અમથો માણસ મને તિરસ્કારી - મારી જાય એ કેમ ચાલે? આને સબક શીખવાડવો જ જોઈએ' વિગેરે.) વિશેષાર્થ ઃ (૧) પ્રશ્ન ઃ અહીંયા ટીકાકારશ્રી ભગવાન્ ઋષભ ઉપસર્ગ વગર વિચર્યા' એમ કહે છે. જ્યારે આગળની બીજી ગાથામાં “બંનેય પ્રભુ ઉપસર્ગ-પરિષહ સહન કરવા માટે જગતને વિષે

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138