Book Title: Updesh Mala
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 30
________________ વાતના આધારે જણાય છે. માટે મોટા = મોક્ષ અર્થ કર્યો. (તેથી) મોક્ષને વિષે કરાયેલી છે મતિ જેના વડે = મોક્ષ પ્રતિ એક ચિત્તવાળા. (પ્રશ્ન ઃ ગાથામાં તો “તતિ' શબ્દ નથી તો તમે ટીકામાં ક્યાંથી લાવ્યા?) ઉત્તર : “#તમતિ’ એ પ્રમાણેનો શબ્દ એ વાયશેષ છે. એટલે કે “મોક્ષને વિષે કરાઈ છે મતિ જેના વડે આ આખા વાક્યમાં બે અંશો છે : (૧) મોક્ષને વિષે (૨) કૃતમતિ. હવે જો આ બીજો અંશ અહીં નહીં લઈએ તો વાક્ય અધૂરું રહી જાય માટે એને વાકયના શેષ તરીકે અહીં સમજવાનો છે. (પ્રશ્ન : વ્યક્તિનું તમે આટલુ જોરદાર વિશેષણ તો કહી દીધું. પણ એ વ્યક્તિ કોણ છે એ તો કહો?) ઉત્તર : “મહાન એવા વર્ધમાન નામના જિનચંદ્ર (જિનોમાં ચંદ્ર સમાન) આનો અર્થ પહેલાંની જેમ = બીજી ગાથાની ટીકામાં કરાયેલ “વમUવિપકો' શબ્દના અર્થ પ્રમાણે જાણવો. માત્ર ત્યાં “મહા” શબ્દ ન્હોતો જે અહીં છે. એનો અર્થ “મહાનું છે. અને એ શબ્દને “વર્ધમાન જિનચંદ્ર' શબ્દ સાથે કર્મધારય સમાસ કરીને જોડી દેવો. ( સમાસ ટીકાકારશ્રીએ બતાડ્યો જ છે.) પ્રશ્ન : શેના વડે તેવા પ્રભુવીર ધ્યાનથી ચલિત કરવાને માટે શક્ય નથી? માટે કહે છે કે : ઉત્તર : ઉપસર્ગોના હજારો = હજારો ઉપસર્ગો વડે પણ ચલાવવાને માટે શક્ય નથી. (તેમાં ઉપસર્ગ એટલે) “ઉપસર્જન કરાય છે = સન્માર્ગમાંથી (જીવ) દૂર કરાય છે આના વડે ” તે ઉપસર્ગ એટલે કે કદર્થનાઓ = શારીરિક વિગેરે પીડાઓ, ત્રાસો. તે ઉપસર્ગોના હજારો = હજારો ઉપસર્ગો. તેમના વડે પણ ચલાવવાનું શક્ય નથી. (સંસ્કૃતમાં સંખ્યાવાચી શબ્દ પાછળ મૂકાય જ્યારે ગુજરાતીમાં અર્થ બોલતી વખતે એનો અર્થ પહેલા બોલવાનો.) પ્રશ્ન : કોની જેમ વીર પ્રભુ ચલિત કરવા શક્ય નથી? માટે કહે છે કે : ઉત્તર : જેમ મેરુ પર્વત = પર્વતોનો રાજા એવો મેરુ નામનો પર્વત પવનના ગુંજાઓ વડે એટલે કે શબ્દસહિતની= ગુંજારવ કરતી, વળી પ્રબલ = જોરથી ફૂંકાતી એવી વાતોત્કલિકાઓ = વાયુની ઉત્કલિકાઓ = વંટોળિયા વડે ચલિત કરવાનું શક્ય નથી (તેની જેમ પ્રભુવીર હજારો ઉપસર્ગો વડે પણ ધ્યાનથી ચલિત કરી શકાય એમ નથી.) (૪ லலல अधुना गणधरोपदेशेन विनयोपदेशमाह भद्दो विणीयविणओ, पढमगणहरो समत्तसुयनाणी । जाणतो वि तमत्थं, विम्हियहियओ सुणइ सव्वं ।। ५ ।। भद्दो० गाहा : भट्र : कल्याणः सुखश्च तत्स्वरुपत्वात्तद्धेतुत्वाद्वा, विनीयते कर्माऽनेनेति विनयः, विशेषेण नीतः प्राप्तो विनयो येन स विनीतविनयः, कोऽसौ ? प्रथमगणधरोऽर्हदाद्यशिष्यः, किम्भूतः?

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138