Book Title: Updesh Mala
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 33
________________ (પ્રશ્ન : હૈયું તો આંતરિક વસ્તુ છે. એમાં થતાં ભાવો કાંઈ ચર્મચક્ષુથી થોડી જાણી શકાય ? તો પછી તમે કેવી રીતે કહો છો કે ‘આશ્ચર્ય સહિતના હૃદયવાળા છતાં તેઓ સાંભળે છે’ ?) ઉત્તર ઃ (સાંભળતી વખતે) રોમાંચ = રૂંવાટા ઉભા થઈ જવા, વિકસિત આંખ, મુખની પ્રસન્નતા વિગેરે બહા૨ (થતાં) તેના = આશ્ચર્યભાવના કાર્યો (ચર્મચક્ષુથી પણ) દેખી શકાય એવા હોય છે અને એ દેખાતાં હોવાથી અમે ‘આશ્ચર્ય સહિતના હૃદયવાળા છતાં સાંભળે છે' આવું કહ્યું છે. (પ્રશ્ન : તમે તો વિનયનો ઉપદેશ આપવાનાં હતાં જ્યારે આમાં તો તમે માત્ર ગણધર ભગવંતની નમ્રતા = વિનયનું નિરૂપણ જ કર્યું છે ? એનો ઉપદેશ તો આપ્યો નથી?) ઉત્તર ઃ (ગાથામાં ભલે સ્પષ્ટ પણે ઉપદેશ નથી અપાયો પણ એ ગાથાના અર્થનો ભાવાર્થ બતાડતાં અમે તમને કહીએ છીએ કેઃ) તે આ = હમણાં જ કહેવાયેલ ગણધર ભગવંતના ચેષ્ટિત = વર્તન (વિનયપૂર્વકના વર્તન)ને અનુસરીને = અનુસારે તે જ પ્રમાણે = વિનયપૂર્વક જ ગુરુભગવંતનું વચન સાંભળવા યોગ્ય છે. (પણ એ વખતે ‘હું વધુ જાણકાર છું’ અથવા ‘મને વધુ આવડે છે' એવો અહંકા બિલકુલ રાખવો નહીં) આ પ્રમાણેનો ભાવ = ભાવાર્થ છે. ।। ૫ ।। : વિશેષાર્થ : (૧) પ્રશ્ન : ‘~ાળ’ તથા ‘મુવ’ શબ્દો નપુંસકલિંગ છે. અને બહુવ્રીહિ વગર એ લિંગનો ફેરફાર થઈ શકે નહિ અને બહુવ્રીહિ સામાન્યથી બે શબ્દો હોય ત્યારે થાય છે. તો પછી અહીં તો બીજો શબ્દ નથી છતાં પુલિંગ કેવી રીતે કરેલ છે ? ઉત્તર ઃ અહીં ‘સ્વરૂપ’ તથા ‘હેતુ’ અર્થવાળો બહુવ્રીહિ સમાસ થયેલો છે. અને એ બાદ ‘સ્વરૂપ’ અર્થમાં તથા ‘હેતુ’ અર્થમાં વ્યાકરણનો કોઈ પુલિંગવાળો ‘જ્ઞ’ પ્રત્યય લાગેલો સંભવે છે માટે પુલિંગરૂપે એ બંને શબ્દો છે. (૨) પ્રશ્ન ઃ ગાથામાં કે ટીકામાં ક્યાંય ‘ગૌતમ સ્વામી’નો ઉલ્લેખ કર્યો નથી. માત્ર પ્રથમધર: અર્ધવાશિષ્ય: આવો જ ઉલ્લેખ કરેલ છે. તો પછી તમે શી રીતે ‘ગૌતમસ્વામી’ ને જ પ્રથમ ગણધર તરીકે ટીકાર્થમાં કહ્યાં ? = ઉત્તર ઃ તમારી વાત સાચી છે કે આ ગાથામાં કે ટીકામાં ક્યાંય ‘પ્રથમ ગણધર તરીકે ગૌતમ સ્વામી જ લેવા' એવો ઉલ્લેખ મળતો નથી. પણ છતાં આ ગાથા ગૌતમસ્વામી માટે પ્રચલિત છે એવો ખ્યાલ છે. માટે અમે ટીકાર્થ પણ એ પ્રમાણે કર્યો છે. બાકી પ્રચલિત વાતને મગજમાં ન લાવતાં માત્ર ટીકાર્થને નજર સમક્ષ રાખતાં આવો અર્થ થાય કે ‘દરેક પરમાત્માના શાસનમાં પ્રથમ ગણધર ભગવંત લોકોને બોધ થાય એ માટે ભગવાનને પ્રશ્નો પૂછતાં અને ભગવાન એનો જવાબ આપતાં’. અને જો વાસ્તવિકતા આ રીતની જ હોય તો અમે જે માત્ર ગૌતમસ્વામીને લઈને ટીકાનો અર્થ કર્યો છે તે વર્તમાન શાસનની અપેક્ષાએ અથવા પ્રચલિત વાતને હિસાબે સમજવો. ஸ்ஸ்ஸ் ૨૨

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138