Book Title: Updesh Mala
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 88
________________ હું તેને - ઉદાયી રાજાને મારી નાંખીશ, ખાલી આપે મને સહાય કરવી. આ પ્રમાણે કહીને તે પાટલિપુત્ર નગરીમાં ગયો. ચિરાતું = લાંબા કાળ સુધી પણ નથી મળેલો બીજો ઉપાય જેને એવા તેને આચાર્ય ભગવંતની પાસે સાધુવેષને ગ્રહણ કરી દીધો. (પ્રશ્ન ઃ તે આચાર્ય કેવા હતાં?) ઉત્તર : (રાજમહેલમાં સૈનિકો વિગેરે વગે) નથી અટકાવાયેલો પ્રવેશ જેમનો એવા તથા તે = ઉદાયી રાજાને પૂજ્ય હતાં. (માટે એવા આચાર્યની પાસે સાધુવેષ સ્વીકારી લીધો.) બે પ્રકારની= ગ્રહણશિક્ષા અને આસેવન શિક્ષા રૂપ બે પ્રકારની શિક્ષા શીખી લીધી, સાધુઓને પોતાના માયાવી વર્તણૂંકોથી) ખુશ કરી દીધા. અને આ રીતે તે બધા સાધુઓની વચ્ચે બાર વર્ષ સુધી રહ્યો. આ બાજુ તે ઉદાયી રાજા આઠમ - ચૌદસ વિગેરે (પર્વતિથિઓ)માં પૌષધ કરતાં હતાં. (ત્યારે) આચાર્ય ભગવંત રાત્રીમાં તે રાજાને ધર્મદેશના આપવા માટે જતાં હતાં. (અને સાથે માત્ર એક જ સાધુને લઈ જતાં હતાં.) અને તે માયાવી સાધુ) વચ્ચે વચ્ચે (આઠમ વિ. દિવસો દરમ્યાન) પ્રવર્તતો = મને સાથે લઈ જાઓ” એવી વિનંતિ કરતો હોવા છતાં ય અપરિણત = અપરિપક્વ હોવાને લીધે તેને પૂર્વે = પહેલા નહોતાં લઈ ગયા. ત્યારે – તે અવસરે - તે દિવસે વળી વિકાળવેલા = સંધ્યાકાળમાં જ્યારે ગુરુભગવંત પ્રવૃત્ત થયા = ત્યાં જવા માટે તૈયાર થયા ત્યારે આ માયાવી સાધુ ઝડપથી ઉપસ્થિત થઈ ગયો (પછી ગુરુ મહારાજ પણ એને હવે પરિણત થઈ ગયેલો સમજીને) લઈ ગયા. ત્યારબાદ ધર્મદેશના વડે રહીને = ધર્મદેશના પૂરી કરીને જ્યારે બંને ગુરુ અને રાજા સૂઈ ગયા ત્યારે સાધુવેષ સ્વીકારતા પૂર્વે જ ગ્રહણ કરી રાખેલ કંકલહ શસ્ત્રને = કંકની = ક્ષત્રિયની લોખંડની નાનકડી છરી જેવા શસ્ત્રને રાજાના ગળામાં મૂકીને (અર્થાત્ એના વડે રાજાનું ગળુ કાપીને) આ માયાવી સાધુ ભાગી ગયો. અને “આ તો મુનિ છે' એ પ્રમાણે વિચારીને રાજાના આરક્ષકો = સૈનિકોએ પણ અટકાવ્યો નહીં. (હવે આ બાજુ રાજામાંથી નીકળેલ લોહીની ધારા આચાર્ય ભગવંત સુધી લંબાઈ. અને તે) લોહીના સિંચન = ભીનાશને લીધે આચાર્ય ભગવંત જાગી ગયા. (અને કોણે રાજાને માર્યો હશે? એ વિચારથી ચારે બાજુ નજર નાંખી તો તેમણે) સાધુને જોયો નહીં. (એથી વિચાર કરતાં તેમને) “આ સાધુનું વિલસિત = વર્તન છે' એ વાત દેખાઈ = જણાઈ ગઈ. - ત્યારબાદ “પ્રવચનની = શાસનની મલિનતાને ધોવા માટે બીજો કોઈ ઉપાય નથી' એ પ્રમાણે વિચારીને આપી છે સિદ્ધ ભગવંતોને આલોચના જેમને એવા તે આચાર્ય ભગવંતે નમસ્કાર મહામંત્રના આરાધનપૂર્વક ધર્મધ્યાનને પૂરીને = કરીને તે જ છરી (જેના વડે રાજાનો વધ કરવામાં આવ્યો હતો તે જ છરી) પોતાના ગળામાં પણ આપી દીધી. (તેના વડે પોતાનું ગળુ રહેંસી દીધું) આ બાજુ ઈતર = માયાવી સાધુ વળી ત્યાંથી નાસીને પોતાના રાજા (ઉજ્જયિનીના રાજા) પાસે ગયો. આખો વૃતાન્ત = અહેવાલ કહ્યો. (એ સાંભળીને “સાધુવેષમાં રહીને આવા ધંધા આણે કર્યા' એમ

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138