________________
સ્નેહરાગને દૂર કરીને ક્ષપકશ્રેણી માંડીને મોશે પહોંચી શક્યા હોત. પણ એમને એટલો સમય જ ન મળ્યો માટે તેમને અનુત્તર દેવમાં ઉત્પન્ન થવું પડ્યું.
லலல अत एव सांसारिकसुखप्रतिबन्धाभावोपदेशार्थं परमार्थतस्तदभावमाह
कह तं भन्नइ सोक्खं, सुचिरेण वि जस्स दुक्खमल्लियइ ।
ક ર મરાવાળ, મવસંસારાકુવંથિ ૨ | ૨૨ || कह तं० गाहा : कथं तद् भण्यते सौख्यं? सुचिरेणापि बहुकालेनापि यस्य दुःखमालीयते आश्लिष्यति, यदनन्तरं दु:खं भवतीत्यर्थः। तदने नानुत्तरसुरसुखस्याप्यनन्तरं गर्भजदु:खाऽऽश्लेष्यात्पुण्याऽनुबन्धिपुण्यजनितस्याप्यभावो दर्शितः। अधुना पापानुबन्धिपुण्यजनितस्याह - यच्च मरणरूपमवसानं पर्यन्तो मरणावसानं, तस्मिन्, भवन्त्यस्मिन्नानारूपाः प्राणिन इति भवो नारकादिः, तस्मिन् संसरणं पर्यटनं भवसंसारस्तमनुबद्धं शीलं यस्य तद्भवसंसारानुबन्धि चशब्दादनन्तरं दु:खाश्लेषि च । तत्सुतरां सुखतया वक्तुं न शक्यमिति ॥ २९ ॥
અવતરણિકા : આ કારણથી = ઉપરોક્ત ગાથામાં બધી વસ્તુઓ, અવસ્થાઓ અનિત્ય છે, કોઈ ટકવાનું નથી. માટે જ “સંસારસંબંધી = વૈષયિક સુખોમાં પ્રતિબંધ = રાગ ન કરવો જોઈએ” એવો ઉપદેશ આપવો જરૂરી છે અને એ રાગાભાવના ઉપદેશને માટે જ ગ્રંથકારશ્રી સીધેસીધુ એ સુખોમાં રાગ ન કરવો જોઈએ” એવું ન કહેતાં ‘પરમાર્થથી = વાસ્તવિકતાએ તે સાંસારિક સુખો ખરેખર સુખ જ નથી” એ પ્રમાણે હવેની ગાથામાં કહી રહ્યા છે :
(અને જો એ સુખો સુખ તરીકે હોય જ નહિ તો પછી એમાં રાગ થવાની વાત જ ક્યાં રહે? માટે સૌ પ્રથમ વાસ્તવિકતા સમજાવતાં તેઓ કહે છે કે :)
ગાથાર્થ તે (સુખ)ને પણ સૌખ્ય = સુખ કઈ રીતે કહી શકાય? કે જેને લાંબા કાળે પણ અર્થાત્ જેનો લાંબા કાળ સુધી ભોગવટો કર્યા બાદ પણ પછીથી દુઃખ ચોંટી જતું હોય. અર્થાત્ દુઃખ આવી પડતું હોય અને જે સુખ વળી મરણરૂપ અન્તમાં = મરણ બાદ ભવસંસારની પરંપરાવાળુ હોય તે તો સુતરાં કેવી રીતે સુખ રૂપ કહી શકાય?) | ૨૯ I
ટીકાર્ય તે (સુખ) કેવી રીતે સૌખ્ય = સુખ કહી શકાય? કે જેને લાંબા કાળ વડે પણ દુઃખ ચોંટી જતું હોય. અર્થાત્ જેનો લાંબા કાળ સુધી ભોગવટો કર્યા બાદ પણ જેની પછી તરત દુઃખ ઊભું થતું હોય.
તે આ પૂર્વાર્ધ વડે અનુત્તર દેવના સુખને પણ સુખ તરીકેની ગણતરીમાંથી બાદબાકી કરી નાંખી કે જે સુખ ખરેખર પુણ્યાનુબંધી પુણ્ય કર્મના (ઉદયને) લીધે ઉત્પન્ન થયું છે છતાં પણ તે સુખ નથી.
કેમકે ત્યાંથી જેવા અવે એટલે તરત જ ગર્ભમાં થનારા દુઃખની સાથે જીવનો (સુખનો) સંબંધ થઈ