________________
(૩) વિશિષ્ટ સુંદર ઉપાશ્રયોમાં (૪) વિશિષ્ટ એવા જાત જાતના બગીચાઓમાં (તેની આસક્તિ પ્રતિ = રાગ કરવાનો) સાધુઓને અધિકાર = સત્તા નથી.
પ્રશ્ન : ગુરુજી ! સાધુઓને આહા૨, ઉપકરણ, વસતિ, ઉદ્યાન વિગેરેને વિષે માલિકીપણું તો હોતું જ નથી એટલે કે માલિકીપણાનો અધિકાર તો તેઓને છે જ નહીં તો અહીં ગ્રંથકારશ્રીએ કઈ બાબતે અનધિકાર જણાવ્યો છે ?
ઉત્તર ઃ શિષ્ય ! સાધુઓને આહારાદિને વિષે રાગ ક૨વાનો અનધિકા૨ = અસત્તા જણાવી છે. આ બાબત મૂળસૂત્રમાં નથી દર્શાવી છતાં પ્રસ્તુતના આધારે જણાય છે.
પ્રશ્ન : ગુરુજી ! તો પછી સાધુઓને શેમાં અધિકાર છે ?
ઉત્તર : શિષ્ય ! સાધુઓને તપ કરવો વિ. ને વિષે અધિકા૨ છે. કારણકે, સાધુઓ તપ-જ્ઞાન આદિ ધર્મકાર્યોરૂપી ધનવાળા છે. એટલે કે તેની માલિકીવાળા છે તેથી તેઓને તેનો અધિકાર છે. જેમ બહિર્જગતમાં બોલાય છે કે “આ ગાડીવાળો, બંગલાવાળો, ધનવાળો છે'' એનો મતલબ એ કે એના એ ગાડીબંગલા કે ધનનું એણે જે કરવું હોય તે કરી શકે. તેના વિષેની સર્વસત્તા તેની. તે રીતે અહીં પણ સમજવું. વિશેષાર્થ : (૧) ગાથામાં જે બીજો = શબ્દ છે તે ત્રણે પદોના સમુચ્ચયમાં છે.
ஸ்ஸ்ஸ்
कथमेतद् गम्यते इत्याह
-
साहू कंतारमहाभएसु अवि जणवए वि मुइअम्मि ।
અવિ તે સરીપીડ, સદંતિ ન નયંતિ ય વિસ્તું ॥ ૪૦ ॥
साहू कंतारमहा० गाहा : साधवः कान्तारमहाभययोरपि, कान्तारेऽटव्यां महाभये च राजविज्वरादौ वर्तमाना नलान्ति न गृह्णन्ति चशब्दाद् गृहीतमपि कथञ्चिन्न परिभुञ्जते विरुद्धमनेषणीयं भक्तोपध्यादिकमिति सम्बन्धः । क्वेव इत्याह- जनपदे इव, मुदिते ऋद्धिंस्तिमिते निर्भये वर्तमानाः, अपि सम्भाव्यते एतत्,
भगवन्तः शरीरपीडां कायबाधां सहन्ते तितिक्षन्ति, अतो निश्चीयते न तेषामाहारादिषु प्रतिबन्धोऽपि तु धर्मकार्येष्वेव । शरीरपीडाग्रहणं च मानसपीडासद्भावे यतनया गृह्ण-तामपि भगवदाज्ञाकारित्वान्न तेषु प्रतिबन्ध इति ज्ञापनार्थमिति ॥ ४० ॥
અવતરણિકા : આ = સાધુઓને તપાદિમાં અધિકાર છે બીજામાં નહીં આ કેવી રીતે જણાય ? ગાથાર્થ : સાધુઓ સમૃદ્ધ એવા રાજ્યની જેમ જંગલ અને મહાભયોમાં પણ અનેષણીય ગ્રહણ કરતાં નથી. ઉલટું તેઓ શરીરની પીડાને સહન કરે છે. ।। ૪૦ II
ટીકાર્થ : સાધુઓ જંગલમાં અને રાજયુદ્ધ વિ. મહાભયોમાં પણ રહેલા ગ્રહણ કરતાં નથી... કોઈપણ રીતે ગ્રહણ કરાઈ ગયું હોય તો પણ વાપરતા નથી. આ બાબત = શબ્દથી જણાવાઈ છે. (પ્રશ્ન : કઈ વસ્તુ ગ્રહણ કરતાં નથી?)