________________
હતા, તેઓશ્રીની શુભ પ્રેરણાથી તેમણે અનેક જિનમંદિરમાં ઘણા જિનબિંબ ભરાવવામાં તેમજ પ્રતિષ્ઠા વગેરે શુભ કાર્યોમાં લક્ષ્મીના મમત્વનો ત્યાગ કરીને ઘણું પુણ્ય કાર્યો કર્યા છે.
આ સિવાય તેઓશ્રીએ મહા મંગલકારી પાપ નિવારક ને શાંતિદાયક નવકાર મહામંત્રને વિધિપૂર્વક નવ લાખને જાપ પૂર્ણ કર્યો હતો. અને તેની પૂર્ણાહુતિના સંદર્ભમાં ભારે દબદબાપૂર્વક અને અદકેરા ઉત્સાહથી શ્રી સિદ્ધચક્રનું પૂજન કરાવ્યું હતું.
શેઠશ્રી તો આજે ચાલ્યા ગયા છે. પરંતુ કેટલાક માનવી ફૂલ જેવા હોય છે, ફૂલ ખરી જાય છે પણ પાછળ પમરાટ છોડી જાય છે, તેની પાંખડી પાંખડી ખત્મ થઈ જાય છે. પરંતુ તેની દરેક પાંખડી તેની મધુર સુવાસ મુકી જાય છે.
શેઠશ્રી પણ એક એવું પણ પુષ્પ હતા. આજે તેઓશ્રી નથી પણ તેમની સુવાસ આજે પણ મહેંક મહેંક થાય છે. અને એ સુવાસ કાયમ રહે તે માટે તેમના સપુત્ર શ્રી મનુભાઈ અને શ્રી સારાભાઈ તેમના પૂજ્ય પિતાશ્રી શેઠશ્રી જેસીંગભાઈ કાલીદાસ ટ્રસ્ટમાંથી, પુણ્યકાર્યોમાં પિતાના પિતાશ્રીના જેવાજ ઉત્સાહ અને ઉમંગથી ઉછળતા હૈયે સાથ અને સહકાર આપે છે.