Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
ક
૧
૧
+1
-
-
-
અધે ગ્રામ વર્ણન.
૨૫૩ તથા નીલવંતપર્વતની વચ્ચેની સર્વભૂમિ એટલે પશ્ચિમમહાવિદેહની સર્વ ભૂમિ મેરૂની પાસેથી જ અનુક્રમે નીચી નીચી ઉતરતી ગઈ છે, તે યાવત્ જબદ્વીપની જગતીસુધી સર્વભૂમિ નીચી નીચી ઉતરેલી છે, તે એવી રીતે નીચી ઉતરતી ગઈ છે કે મેરથી ૪ર૦૦૦ જન દૂર જતાં ત્યાંની ભૂમિ મેરૂની પાસેની સમભૂમિથી ૧૦૦૦ એજન જેટલી સીધી ઉંડી ગયેલી છે, જેથી તે સ્થાને આવેલી ૨૪ મી નલિનાવતીવિજય અને ૨૫ મી વપ્રવિજય એ બે વિજયેનાં ગામનગરો ૧૦૦૦ એજન ઉંડાં હોવાથી તે બધોગ્રામો ગણાય છે, કારણ કે ૦૦ યોજન ઉંડાઈ સુધી તીસ્થલેક, અને એથી અધિક નીચે હોય તે અલક ગણાય છે માટે. વળી એ બે વર્ષધરોની વચ્ચે આવેલી એ [ કમશ: ઉતરતી ] ભૂમિ કૂવામાંથી કેશ ખેંચવા માટે બળદને ચાલવાની આકર્ષભૂમિ સરખી કમશ: ઉતરતી છે. વળી એ અધોગ્રામપછીનાં આવેલાં બે વને ૧૦૦૦ એજનથી પણ અધિક ઉંડા છે, અને ત્યારબાદ જગતીની નીચેની ભીત્તિ પશ્ચિમમહાવિદેહના પર્યતે આવેલા ઘણુ ઉંચા કોટ સરખી છે.
તથા પશ્ચિમમહાવિદેહની ભૂમિ એ પ્રમાણે નીચી ઉતરતી હોવાથી સર્વ વિજયે, સર્વવક્ષસ્કારપર્વતે અને સર્વ અન્તર્નદીએ પણ અનુક્રમે નીચા નીચા થતા ગયા છે.
31વત૨T:-હવે જંબદ્વીપનું વર્ણન માસથવાના પ્રસંગે આ જ બદ્વીપમાં તીર્થકર ચક્રવર્તે વાસુદેવ અને બળદેવની ઉત્પત્તિ જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી કહેવાય છે–
1 પ્રથમ ૨૪-૨૫ મી વિજયનાં ગ્રામનગરોને અધોગ્રામ કહ્યાં તે ૧૦૦૦ એજન ઉડાઈની અપેક્ષાએ કહ્યાં છે, પરંતુ ગણિતરીતિ પ્રમાણે તે ૨૩-૨૪-૨૫-૨૬ એ ચારે વિનાં ગામનગર ૮૦૦ જન ઉંડાઈથી અધિક ઉંડાં હોવાથી અગ્રામતરીકે ગણી શકાય, તો પણ શાસ્ત્રમાં સર્વત્ર ૪૨૦૦૦ એજન દૂર ગયે અગ્રામ કહ્યા તે સંબંધમાં વાસ્તવિક સ્પષ્ટ કારણ તે શ્રી બહુબ જ જાણે. અન્યથા ગણિતરીતિ પ્રમાણે તે ૩૭૮૦૦
જન ગયે અધોગ્રામ આવે છે. અથવા મેરૂના મધ્યવર્તી આઠ રૂચક પ્રદેશના સ્થાનને સમભૂલ ગણીને ત્યાંથી ૪૨૦૦૦ ગોજન ગણીએ તે પણ એ ચાર વિજાજ અગ્રામ તરીકે ગણાય છનાં શાસ્ત્રમાં ૨૪-૨૫ મી વિજયમાંનાં પણ કેટલાંક ગામનગરેનેજ અધોગ્રામ તરીકે ગયાં છે તે ગણિત સાથે બંધબેસતું નથી, માટે અહિં કંઈ પણ સમાધાન તરીકે શાસ્ત્રકર્તાઓએ દલી કર્ણ ગતિ અંગીકાર કરીએ તે સર્વે તર્કવિતર્ક શાન્ત થાય છે, માટે સંભવ છે કે-આ ૪૨૦૦૦ થોજને જે અગ્રામ કહ્યાં તે પણ કર્ણગતિની અપેક્ષાઓ હશે, અને અહિં કર્ણગતિને અવકાશ પણ હોઈ શકે છે. માટે એ રીતે શાસ્ત્રનું વચન વ્યવસ્થિત ઘટાવવું ઉચિત છે.