Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala

View full book text
Previous | Next

Page 631
________________ ૪૨૪ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. પર્વત સરખે છે, પરંતુ ઉંચાઈમાં ૪૦૦૦ જન છે, અને વિસ્તારમાં સેને સ્થાને હજાર અંકવાળો છે . ૩ ૨૫૯ છે વિસ્તર-પૂર્વગાથાના વિસ્તરાર્થમાં કુંડલગિરિ અને રૂચકગિરિનું વર્ણન સ્પષ્ટ રીતે કહેવાયું છે, તે પણ અહિં ગાથાને અનુસાર કિચિત કહેવાય છે તે આ પ્રમાણે-રચકઠપ ઘણી સંખ્યાના ભેદવાળે છે, એટલે જૂદી જૂદી રીતે વિચારતાં રૂચકદ્ધપ ૧૧ મે, ૧૩ મે, ૧૫ મે, ૧૮ મે, અને ર૧ મો પણ ગણાય છે, તે આ રીતે–ત્રીદ્વીપસાગરપ્રજ્ઞપ્તિની નિર્યુક્તિમાં કુંડલદીપને ૨૬૨૧૪૪૦૦૦૦૦ જન વિષ્કભ કહ્યો છે, અને રૂચકીપને ૧૦૮૫૭૬૦૦૦૦૦ વિદ્ધભ કહ્યો છે માટે જંબુદ્વીપથી સ્થાનદ્વિગુણ વિચારતાં કુંડલદ્વીપ દશમે અને રૂચકદ્વીપ ૧૧ મો આવે છે. તથા શ્રીઅનુગદ્વારસૂત્રમાં અરૂણાવભાસદ્વીપ અને શંખવર દ્વીપ નહિ ગણીને (૮ મે નંદી, ૯ મે અરૂણુ ગણીને) કુંડલદ્વીપ ૧૦ મે અને રૂચકદીપને ૧૧ મે સૂચવ્યું છે, અને અનુયોગદારણિમાં તથા સંગ્રહણમાં ૮ મા નંદીશ્વરદ્વીપ બાદ ૯ મે અરૂણવર, ૧૦ મે અરૂણાવભાસ, ૧૧ મે કુંડલવર, ૧૨ મે શંખવર, અને ૧૩ મે રૂચકવરદ્વીપ કહ્યા છે. તથા શ્રી બૃહત્સંગ્રહણીમાં દર્શાવેલા કમ પ્રમાણે ત્રિપ્રત્યવતાર વિના રૂચકઠપ ૧૩ મે થાય છે, પરંતુ અરૂણથી માંડીને ત્રિપ્રત્યવતાર ગણતાં ૨૧ મે થાય છે, અને શ્રીજીવાભિગમસૂત્ર તથા વૃત્તિને અનુસારે આઠમા નંદીવર દ્વિપ બાદ અરૂણદ્વીપ અને કુંડલીપ ત્રિપ્રત્યવતારી આવે છે, જેથી રૂચકદીપ ૧૫ મો પણ ગણાય, તથા અરૂણાપપાતને ન ગણન અને નંદીશ્વર પછી અરૂણ કુંડલ અને શંખદ્વીપના ત્રિપ્રત્યવતાર ગણુને ત્યારબાદ રૂચકદીપ ગણતાં ૧૮ મે રૂચકહીપ આવે છે. એ પ્રમાણે જુદી જુદી રીતે રૂચકદીપની અંક સંખ્યા શાસ્ત્રોમાં ગણેલી છે. માટે આ ગાથામાં દુ રબાર કહ્યું છે. એ રીતે અનેક સંખ્યાવાળા રૂચકદ્વીપમાં જિરિ નામનો વલયાકાર પર્વત તે માનુષત્તરપર્વતસર એટલે સિહનિષાદી આકારવાળે છે, પરંતુ માનુષારગિરિ ૧૭૨૧ જન ઉંચા છે, ત્યારે આ રૂચકપર્વત ૮૪૦૦૦ જન ઉંચો છે, તથા વિસ્તારમાં “સ” ને સ્થાને “હજાર ” અંકવાળો છે એટલે માનુષેત્તરપર્વત મૂળમાં (૧૦૨૨) દશ “સ” બાવીસ જન અને શિખરતલે (૪૨૪) ચાર “સો” ચોવીસ જન છે, ત્યારે આ રૂચકગિરિ મૂળમાં દશ “હજાર” બાવીસ એજન અને શિખરતલે ચાર “હજાર” ચાવીસ એજન વિસ્તારવાળો છે, એ રીતે “સ” શબ્દને સ્થાને “હજાર” શબ્દ જાણ. તથા કંડલગિરિ પણ છે કે ઉંચાઈમાં ભિન્ન છે, એટલે કર૦૦૦ એજન

Loading...

Page Navigation
1 ... 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669