Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હું સમજી ગઈ કે, કઈ વિદ્યારે પિતાની વિદ્યાના બળથી મારું અપહરણ કરેલ છે, અને પિતે પિતાની વિદ્યાના જોરથી બનાવેલા આ ભવનમાં મને રાખેલ છે. અને પોતે ન માલુમ કયાં ચાલી ગયેલ છે. આથી અસહાય બનેલ એવી હું કુમારને યાદ કરી કરીને રેઈ રહી છું. કેમકે, “વાછાનાં નવ વર” બાળાઓ અને દુઃખિત અબળાઓનું એક માત્ર બળ રૂદન જ છે.
આ પ્રકારનાં સુનંદાનાં વચનોને સાંભળીને સનસ્કુમારે કહ્યું–તું જેના માટે રેઈ રહેલ છે તે વ્યક્તિ તારી સામે જ ઉભેલ છે, મારું નામજ સનકુમાર છે. આ સમયે અશનિવેગ વિદ્યાધરનો પુત્ર વજીવેગ કોધથી ભરપૂર એ ત્યાં આવી પહોંચે અને તેણે તે સમયે સનકુમારને પકડીને હાથથી આકાશ તરફ ઉછાળી દીધ. સુનંદાએ સનકમારને પકડીને ઉછાળતાં જે ત્યારે તે આઘાતનાથી અનિષ્ટની આશંકા કરવા લાગી અને રોતાં રોતાં તે મૂછિત બની ગઈ અને એક તરફ પછડાઈ પડી. સનકુમાર જયાં આકાશ તરફથી જમીન ઉપર પડયા અને પડતાંની સાથેજ ઉઠીને તેણે વિદ્યાધરની છાતીમાં એક વાતુલ્ય મુક્કો લગાવ્ય. સનતકુમારના હાથનો વાતુલ્ય મુક્કો પોતાની છાતીમાં પડતાં એ વિદ્યાધર દુઃખથી પિડાવા લાગ્યો અને લોહીની ઉલટીઓના ભારે વહનથી તેનું ત્યાં જ મૃત્યુ નીપજયું. સનસ્કુમારને કયાંય જરા સરખી પણ ચેટ ન લાગી. હસતાં હસતાં તે સુખરૂપ સુનંદાની પાસે ગયા અને મધુર વચનોથી બેલવા લાગ્યા. “તમે ચિંતા ન કરો, ઘય ધરે, એ દુષ્ટ વિદ્યાધર મરી ગયેલ છે. હવે કઈ રીતે ગભરાવાની જરૂર નથી.” આ પ્રમાણે રાજકુમારી સુનંદાને સમજાવીને તેણે પછી તેને પોતાનું સઘળું વૃત્તાંત પણ સંભળાવી દીધું. અને તેની સાથે ગાંધર્વવિધિથી વિવાહ પણ કરી લીધું. આથી સુનંદા સન૯માર ચક્રવતીની પત્ની બની ગઈ
થોડા સમય બાદ ત્યાં વાવેગ વિદ્યાધરની બહેન છે, જેનું નામ સંધ્યાવલિ હતું તે ત્યાં આવી અને પોતાના ભાઈને મરેલે જોઈને તે આર્યપુત્ર તરફ ક્રોધાયમાન બની પરંતુ જેશ-જેનારના વચનની સ્મૃતિ આવી જવાથી તેણે આર્યપુત્રની સામે આવીને ઘણુ વિનયથી એવું કહ્યું કે, કુમાર ! મને જોશ જોનારે કહ્યું છે કે, જે તારે ભાઈને મારનાર હશે તેજ તારે પતિ થશે. માટે આપ મને પોતાની પત્ની બનાવીને કૃતાર્થ કરો.” તેની આવી વાતે સુનંદાએ સાંભળી તે તેણે સનકુમારને તેની સાથે લગ્ન કરવાની અનુમતી આપી. બન્નેના લગ્ન થઈ ગયાં.
આ પછી મારા બે ભાઈ આર્યપુત્રની પાસે આવ્યા, એકનું નામ હરિશ્ચંદ અને બીજાનું નામ ચંદ્રસેન આ બન્ને ભાઈઓએ આર્યપુત્રને કવચ અને રથ સમર્પિત કરતાં કહ્યું કે કુમાર ! અમે બન્ને ચન્દ્રવેગ અને ભાનુગ વિદ્યાધરના પુત્ર છીએ, તેમણે આપના માટે કવચ અને ૨થ મેકરેલ છે તો એનો સ્વીકાર કરે.એ બને આપની સહાયતા માટે સૈન્ય સહિત આ તરફ જલદીથી આવી રહ્યા છે. તેની આ વાતને સાંભળીને કુમારે કહ્યું. મારી સાથે યુદ્ધ કરવા માટે કેણું આવી રહ્યું છે, જેથી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
પ૭