Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ્વસ્થ બની ગયા એજ એક ભારે હર્ષોંની વાત છે. આ પ્રકારના પરસ્પરના વાર્તા લાપથી એ બન્નેમાં ગાઢ મૈત્રી થઇ ગઇ. ચિત્રગતિએ જ્યારે ત્યાંથી જવાના વિચાર કર્યા ત્યારે સુમિત્રે તેને કહ્યું કે, મિત્ર ! અહીંયા આજક લમાં સુયસ કેવળીભગવાન આવવાના છે. આથી એમને વંદના કર્યો પછી આપ અહીંથી જાવ. અમે તમાને શકશુ નહી”, સુમિત્રની આ વાતને સાંભળીને ચિત્રગતિ ત્યાં રોકાઇ ગયા. એટલામાં સુયશ કેવળી ભગવાન પણ ત્યાંના ઉદ્યાનમાં પહેોંચ્યા. ત્યાં દેવાથી પરિ વૃત મુનિરાજને જોઈને તેએએ ઘણીજ ભકિતથી નમસ્કાર કર્યો અને આનંદિત બનીને પરિષદામાં બેસી ગયા. સુગ્રીવ રાજા પણ કેવળી ભગવાનનું આગમન સાંભળીને તેમને વના કરવા માટે ત્યાં આવ્યા. તથા ધર્મ ઉપદેશ સાંભળવાની અભિલાષાથી કેવળીને નમન કરી તે પણ એ પરિષદામાં પહોંચ્યા, સકળ જીવાનુ કલ્યાણ કરવામાં તત્પર કેવળી ભગાવાને આવેલા એ સઘળાઓને ધમ ના ઊપદેશ આપ્યા. ધમ શ્રવણ કર્યાં ખાદ ચિત્રગતિએ નમસ્કાર કરી કેવળી ભગવાનને કહ્યુ – ભદન્ત ! આજે આપનાં પવિત્ર દČન કરી હું મને પાતાને ઘણા અધિક ભાગ્યશાળી માની રહ્યો છું. આના યશ સુશ્રિ મિત્રને છે. કેમકે, તેમનાજ આગ્રહથી મને આજે આપના દન થયાં છે. હું આજથી સમ્યકત્વપૂર્ણાંક શ્રાવકનું' વ્રત 'ગીકાર કરૂ છું. શ્રાવકનું વ્રત ગ્રહણ કરવાથી પેાતાનું જીવન સફળ થાય છે. જાણીને ચિત્રગતિએ કેવળી પ્રભુની પાસેથી શ્રાવક વ્રત લીધું. આનાથી જીવન ધર્મીકા કરવામાં અગ્રેસર અને છે. અને પાપ કર્મની તરફથી વિત થાય છે.
સુમિત્રના પિતા સુગ્રીવે કે જેએ ત્યાં ઉપસ્થિત હતા. તેમણે તે સમયે બન્ને હાથ જોડીને કેવળી પ્રભુને પૂછ્યું કે હે ભદન્ત ! મારા આ પુત્ર સુમિત્રને વિષપ્રદાન કરીને મૃત્યુના મેહામાં હામી દેવાની ભાવનાવાળી એ મારી રાણી કે, જેનું નામ ભદ્રા છે તે અહીંથી ભાગીને કયાં ગઇ છે? કૃપા કરીને એ વાત આપ મને કહેા. સુગ્રીવરાજાના આ પ્રશ્નનું સમાધાન કરતાં કેવળીએ સુગ્રીવ રાજાને કહ્યું–રાજન ! એ ભદ્રા આપના રાજભવનમાંથી ભાગીને વનમાં ગઇ હુંતી. ત્યાં તે ખીચારીના સઘળાં આભૂષણા ચેારાએ ચારી લીધા અને તેને પલ્લીપતિને આધીન કરી દીધી. પલ્લી પતિએ તેને કઇ વેપારીને ત્યાં વેચી નાખી. પરંતુ તેને જ્યારે એ સ્થિતિથી પણ સ ંતાષ ન થયા ત્યારે તે ત્યાંથી ભાગીને જંગલમાં જઈને છૂપાઈ ગઈ. ત્યાં હવે તે દાવાગ્નિમાં દુગ્ધ થતી મરી જશે. અને તે મરીને પ્રથમ નમાં જશે. ત્યાંની આયુ સમાપ્ત કરીને એ જ્યારે ત્યાંથી નીકળશે ત્યારે કાઇ ચાંડાલની પત્ની થશે તેને તેની શાકય ત્યાં મારી નાખશે, મરીને પછી તે ત્રીજા નરકમાં જશે. ત્યાંથી પણુ આયુની સમાપ્તિના પછી નીકળીને તિ``ચ આદિ ગતિયામાં ભ્રમણ કરશે
આ પ્રકારની કૅવળીના મેઢેથી સંસારની અસારતા તથા ભદ્રાની દુર્ગતિને ચિતાર સાંભળીને સુગ્રીવ રાજાને પેાતાનું જીવન સફળ બનાવવાના ભાવ જાગી ઉડયેા. સંસાર, શરીર અને ભાગાથી વિરકત થઇને એમણે મુનિરાજને નિવેદન કર્યું
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૦૩