Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પરીક્ષા કરવા માટે એક ઘોડા ઉપર રાજા પિતે તેમ જ બીજા ઘોડા ઉપર એક બીજી વ્યક્તિ બેઠી. રાજા તથા તેમના સાથીદાર આ પ્રમાણે એ બને ઘડાઓ ઉપર સવારી કરીને બીજી ઘેડેસ્વારો સાથે નગરની બહાર નીકળ્યા. જે ઘ ડા ઉપર રાજાએ સ્વારી કરેલ હતી તે ઘડો ખૂબ તેફાની હતો. તેની ચાલ કેવી છે તે જોવાના ઉદ્દેશથી રાજાએ એ ઘોડાને એક ચાબુક લગાવ્યું. ચાબુક લાગતાં જ એ ઘડે પવનવેગથી દડવા લાગ્યા. એને રોકવા માટે તેની લગામને રાજા જેમ જેમ ખેંચતા તેમ તેમ તે ઘડો ખૂબ જ વેગથી દેડવા માંડતો. આ પ્રમાણે મહાવેગવતી ગતિથી ચાલતાં ચાલતાં તે બાર જોજન નીકળી ગયે. જે પ્રમાણે નદીને વેગ કિનારા ઉપરના વૃક્ષને પિતાના પ્રવાહમાં ખેંચીને મહાસાગરમાં પહોંચાડી દે છે એજ રીતે આ ઘોડાએ પણ રાજાને એક મહાભયંકર એવા અરણ્યમાં પહોંચાડી દીધું. જ્યારે રાજાએ જોયું કે, ઘેડો લગામ ખેંચવાથી રોકાતું નથી અને વધુ વેગવાળો બની એક જ રથ હતો. જવાલાદેવીએ પ્રતિજ્ઞા કરી કે હું આજ રથમાં બેસીને જિનધર્મની દેશના સાંભળવા જઈશ નહીં તો અનશન કરીશ. આવી રીતે લહમીદેવીના દિલમાં પણ વૈદિક ધર્મની દેશના સાંભળવા જવાનો વિચાર થયો અને એણે પણ નકકી કર્યું કે, આ રથમાં બેસીને જ હું વૈદિક ધમની દેશના સાંભળવા જઈશ, નહીંતર અનશન કરીશ. આ પ્રમાણે બન્ને રાણીઓને પરસ્પર વિવાદ સાંભળીને રાજા દ્યોત્તરે એવું કહી દીધું કે એ રથ ઉપર બેસીને કઈ પણ ધાર્મિક દેશના સાંભળવા ન જાય. મહાપદ્મ પુત્રે પોતાની માતા જવાલાદેવીની અભિલાષા પૂરી ન થતી જોઈને તે દુઃખથી અતિશય દુઃખી થઈને એ વિચાર કરવા લાગ્યું કે એ ઘણું આશ્ચર્યની વાત છે કે મારા જે પુત્ર હોવા છતાં પણ મારી માતાની અભિલાષા પૂર્ણ થઈ શકતી નથી. જે રીતે કૃપણનું ધન જમીનમાં દટાયેલું રહીને આખરે અદૃશ્ય બને છે. આ જ પ્રમાણે મારી માતાની અભિલાષા પણ તેના પછી રાજાએ તેને પૂછયું, હે સુભગે! તમે કોણ છે, અને આ નિર્જન વનમાં એકલી શા માટે રહે છે ? રાજાએ જ્યારે આ પ્રકારથી પૂછયું, ત્યારે તેણે ઘણી જ ઉત્કંઠાથી એવું કહ્યું કે, હે સુભગ ! પહેલા તમે આ ભવનની વેદિકામાં મારી સાથે લગ્ન કરી લે, પછી સ્વસ્થ ચિતે હું મારું સઘળું વૃત્તાંત તમને કહી સંભળાવીશ. કર્ણપ્રિય એવાં એનાં આ પ્રકારનાં વચન સાંભળીને રાજાએ સુંદર ભોજનની પ્રાપ્તિથી બુભૂક્ષની માફક અત્યંત હર્ષિત થઈને સંધ્યા સમયે તેના કહેવા પ્રમાણે તે કન્યા સાથે ગાંધર્વ વિધિથી લગ્ન કરી લીધું ત્યારબાદ રાત્રીને સમય વીત્યા પછી પ્રાતઃ કાળના કામોથી નિવૃત્ત થઈને રાજાની સાથે ખનો ઉપભોગ પામેલી એ કન્યાએ પિતાનું વૃત્તાંત આ પ્રમાણે કહેવાની શરૂઆત કરી.–
આ ભરતક્ષેત્રમાં ધનધાન્યદિકથી સમૃદ્ધ એવું ક્ષિતિપ્રતિષ્ઠિત નામનું એક નગર હતું. એ નગરનું આધિપત્ય જીતશત્રુ નામના રાજવીનું હતું. તેમણે એક દિવસ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૧૧