Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વાળી પુત્રી તે મારે ત્યાં નથી. પુત્રીની વિના મારા આ પુત્રની અને મારી કાઇ શાશા નથી. આ પ્રકારને એના મનમાં વિચાર હતા જ ત્યારે સમયના જતાં તેને એક સર્વાંગ સુંદર્ પુત્રીના જન્મ થયા. રાજાએ પુત્રીના જન્મના મહાત્સવ ખૂબ ધામધુમથી મનાવ્યા. પુત્રીનું નામ મદનમંજરી રાખવામાં આવ્યુ. નદનવનમાં કલ્પ લતાની માફક તે પિતાના ઘરમાં ક્રમશઃ મેાટી થવા લાગી, અને વજ્રતાં વધતાં મનને હરણ કરે તેવા રૂપલાવણ્યવાળી, સુશીલતા આદિ ગુણસ'પત્તિથી અલંકૃત યુવાવસ્થાને પ્રાપ્ત બની. એના રૂપની બરાબરી કરી શકે તેવી કાઇ સુદરી દેખાતી ન હતી, આટલી તે એ સુંદર લાગતી હતી.
જે સમયની આ વાત છે એ સમયે ઉજ્જયીની નગરીમાં ચ’ડપ્રદ્યોતન નામના રાજા રાજ્ય કરતા હતા કાઇ કામને લઇને તેમના દૂત કાસ્પિલ્પનગરમાં આવ્યે હતા. એને ત્યાંના લેાકેાના મેઢેથી જયવર્મા રાજાને દ્વિમુખ રાજાને મળેલા એ મુગટના પ્રભાવની વાત સાંભળવામાં આવી. જ્યરે તે પાતનુ કામ પૂરૂ કરીને પાછા ઉજ્જયની ગયે ત્યારે તેણે ત્યાં પેાતાના રાજાને જયવર્મા રાજાને મળેલા મુગટના પ્રભાવની વાત કરી. દૂતે કહ્યું, હે દેવ ! કામ્પિલ્યનગરના રાજા જયવર્માને એક મુગટ મળેલ છે, આ મુગટને ધારણ કરવ થી તે લેાકેાની નજરમાં એ મેઢાવળે દેખાય છે. આ કારણે તેના પ્રજાજનેામાં તે દ્વિમુખ એ નામે જાહેર છે. દૂતની પાસેથી આ સમાચારને સાંભળીને ચંડપ્રદ્યોતનના મનમાં એ મુગટને હું થ કરવ ના લાભ જાગ્યું. તેણે એ વખતે એક ચતુર નૂતને એ લગ્યે અને તેને પેતાના હૃદયની વાત સમજાવીને તેને જયવર્માની પાસે મેકલ્યા. ત્યાંથી ચાલીને તે ક્રૂન કામ્બિલ્ડનગરમાં આવીને ચિત્રશાળામાં સિ’હાસન ઉપર બેઠેલા રાજાની પાસે પહોંચ્યા. તેણે ત્યાં રાજાને મસ્તક ઉપર રાખેલા મુગટના પ્રભાવથી એ મુખવાળા જોયા. જોતાં જ તેણે પ્રણામ કરીને જયવર્મા રાજાને કહ્યુ, રાજન ! ઉજ્જયીનીના રાજા ચડપ્રદ્યોતન રાજાએ આપતી પાસે એવા પ્રકારનેા સ ંદેશા મોકલ્યા છે કે, જે આપની પાસે એ સુખપ્રદર્શિત કરવાવાળા જે મુગટ છે તે મને આપેા. જો તેમાં જરાપણુ આનાકાની કરશે. તે તેમાં યુદ્ધના સિવાય બીજે કંઇ ઉપાય નથી. દૂતના માઢેથી ચડપ્રદ્યોતનના આ સંદેશાને સાંભળીને દ્વિમુખ રાજાએ તેને કહ્યું કે, જો તમારા રાજા હું ઈચ્છું તે વસ્તુ મને આપવા તૈયાર થાય તે હું તેને આ મુગટરન આપી શકું છું, દ્વિમુખની વાત સાંભળીને દૂતે કહ્યુ, રાજન ! આપ કહેા, તે ઇચ્છિત વસ્તુ કઈ છે? રાજાએ કહ્યુ', સાંભળે, ૧ તેના રાજ્યના સ્તંભરૂપ અનલિગિર નામના ગન્ધ હાથી, ૨ અગ્નિભિરૂ નામને ઉત્તમ રથ, ૩ શિવા નામની રાણી, ૪ લેાહજવા દૂત. આ ચારે ચીજો તેના રાયની મને ખૂબ પસંદ છે. જો તે આ ચારે ચીજો મને આપી શકે તે હું પણ મારા રાજ્યના સારભૂત એવા આ મુગટને તેને આપી શકું છું, દ્વિમુખ રાજાની આવી અટપટી વાત સાંભળીને તે તે પાછા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૦૦