Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અવાજથી સારૂંએ વિશ્વ બહેરા જેવું બની ગયું. પર્વત કંપાયમાન થયા, અચળ ચલાયમાન બન્યા, સમુદ્રોએ પોતપોતાની સીમા છેડી દીધી. ધીર પણ અધીરતાવાળા થઈ ગયા. વીરે પણ ભયજનિત મૂચ્છથી જમીન ઉપર પડી ગયા વધારે તો શું કહેવું. તેના શંખના પ્રભાવથી દેવ પણ ત્રાસી ઉઠયા શ્રી કૃષ્ણ જ્યારે તેને અવાજ સાંભળ્યો ત્યારે તે પણ સિંહનાદથી ગજની માફક તે શંખના ધ્વનીથી અત્યંત શોભિત બની ગયા. તેમણે વિચાર કર્યો કે, અરે! આ શંખ યા બળવાને વગાડો છે.? હું જ્યારે આ શંખને વગાડું છું ત્યારે સામાન્ય ર જાઓને ક્ષેભ થાય છે. પરંતુ આજે તે તેના અવાજથી મને પણ ક્ષોભ થઈ રહેલ છે. જણાય છે કે, આજ તે કઈ ઈન્દ્ર આવેલ લાગે છે, અથવા તે કઈ ચક્રવતી આવેલ જણાય છે, અથવા તે કઈ બીજા વિષ્ણુ આવેલ લાગે છે. હવે તે મારા રાજ્યની રક્ષા કરવી ખૂબ મુશ્કેલ પડશે. તેઓ જ્યારે આવા પ્રકાને વિચાર કરી રહેલ હતા એટલામાં આયુધ શાળાના રક્ષકોએ તેમની સમક્ષ આવીને સઘળો વૃત્તાંત કહી સંભળાવ્યો. સાંભળીને શંતિ મનથી વ્યાકુળ થઈને કૃષ્ણ બળદેવને આ પ્રમાણે કહ્યું-જુઓ જેની આ પ્રકારની ક્રીડાથી ત્રણે જગતમાં ક્ષોભ મચી રહેલ છે એ તે નેમિ જે મારાં અને તમારાં રાજ્યને લઈ લે. તો તેને અટકાવવામાં કોણ સમર્થ છે? શ્રી કૃષ્ણનાં આ પ્રકારનાં વચનને સાંભળીને બળભદ્રે તેને કહ્યું–ભાઈ! નેમિનાથના વિષયમાં આવા પ્રકારને સંદેહ કરે તે બિલકુલ ઉચિત નથી કારણકે તે બાવીસમા તીર્થકર છે. અને આપણા ભાઈ છે. તથા યાદવ વંશરૂપી સમુદ્રની એ ચંદ્રમા છે. એ તે રાજ્યને ભગવ્યા સિવાય તેમજ વિવાહ પણ કર્યા સિવાય દીક્ષા ધારણ કરશે એ વિચારવાની વાત છે કે, સમુદ્રવિજય આદિ દ્વારા ખૂબ ખૂબ સમજાવવા છતાં પણ તેઓ વિવાહ કરવા ઈચ્છતા નથી તેવા મહાપુરુષ નેમિનાથ આપણું રાજ્યને છીનવી લે તે સાવ અસંભવ વાત છે. આથી તમારે નેમિનાથના વિષયમાં કોઈ પણ પ્રકારનો સંદેહ ન કરવું જોઈએ. આ પ્રકારના બળભદ્રના કહેવા છતાં પણ શ્રી કૃષ્ણ પિતાની હૃદયની શંકાને દૂર કરવામાં સમર્થ ન થઈ શકયા,
એક દિવસની વાત છે કે, ભગવાન બગીચામાં ગયા, ત્યાં એ વખતે કહ્યું પણ આવી પહોંચ્યા. આવતાં જ કૃષ્ણ નેમિ પ્રભુને કહ્યું –ભાઈ આ શૌર્યની પરીક્ષા કરવા માટે આપણા બને યુદ્ધ કરીએ. કૃષ્ણની આ વાતને સાંભળીને પ્રભુએ કહ્યુંયુદ્ધ કરવાની શું આવશ્યકતા છે? બળની પરીક્ષા તો બ હ યુદ્ધથી થઈ શકે છે. આથી સાધારણ માણસોના જેવું યુદ્ધ કરવામાં અમારી તમારી શાભા નથી. પ્રભુનાં આ વચનેને સન્માન આપીને કૃષ્ણ અર્ધા ભારતની જયશ્રીના એક ગૃહ સ્વરૂપ પિતાના હાથને કે જે પરિવા સમાન હતો તેને ફેલાવી દીધું. પ્રભુએ તેમના એ હાથને પિતાના હાથના જોરથી નમાવી દીધે હવે પ્રભુએ પિતાનો હાથ કે જે વજ દંડની માફક દઢ હતો તેને લાંબો કર્યો, કૃપણે તેને નમાવવાની ખૂબ ખૂબ કોશિશ કરી પોતાનામાં
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૨૪