________________
(i) ક્રોધ :- ક્રોધ એટલે અપ્રીતિ, અરૂચિ.
(ii) માન ઃ– માન એટલે પોતાને ચઢિયાતા માનવા અને બીજાને હલકા
માનવા.
(iii) માયા :- માયા એટલે અંદર જુદો ભાવ રાખી બહા૨ જુદું બતાવવું, કપટ. (iv) લોભ
તેના બે પ્રકાર છે
-:
(a) તૃષ્ણા – જે ન હોય તે મેળવવાની ઇચ્છા કરવી તે. (b) આસક્તિ – જે હોય તે ન છોડવાની ઇચ્છા થાય તે.
(૪) યોગ : મન, વચન અને કાયાની પ્રવૃત્તિ તે યોગ છે. યોગના મુખ્ય ત્રણ ભેદ છે. તે આ પ્રમાણે (i) મનોયોગ, (ii) વચનયોગ અને (iii) કાયયોગ. (i) મનોયોગ :– મનની પ્રવૃત્તિ તે મનોયોગ. તેના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે- .
(a) સત્ય મનોયોગ – વસ્તુ જેવી હોય તેવું વિચારવું તે. જેમકે-જીવ છે, જીવ શ૨ી૨વ્યાપી છે વગેરે વિચારવું.
(b) અસત્ય મનોયોગ – ખોટું વિચારવું તે. જેમકે-જીવ નથી, જીવ એકાંત-નિત્ય છે વગેરે વિચારવું.
(C) સત્યાસત્ય મનોયોગ – જેમાં સાચું પણ છે અને ખોટું પણ છે તેવું વિચારવું તે. જેમકે-લીંબડા વગેરેના ઝાડોથી યુક્ત ઘણા આંબાના ઝાડોવાળા વન માટે આ આંબાનું વન છે એમ વિચારવું. (d) અસત્યઅમૃષા મનોયોગ – જેમાં સાચું પણ નથી અને ખોટું પણ નથી તેવું વિચારવું તે. જેમકે-ઘડો લાવવો જોઇએ વગેરે વિચારવું. (ii) વચનયોગ :– વચનની પ્રવૃત્તિ તે વચનયોગ. તેના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે .
-
(a) સત્ય વચનયોગ –
(b) અસત્ય વચનયોગ –
(c) સત્યાસત્ય વચનયોગ
(d) અસત્યઅમૃષા વચનયોગ -
ચારે પ્રકારના વચનયોગની વ્યાખ્યા ચાર પ્રકારના મનોયોગની જેમ જાણવી. માત્ર ‘વિચારવું’ ના સ્થાને ‘બોલવું' સમજવું.
૧૭
વિશ્વસંચાલનનો મૂલાધાર