Book Title: Vishva Sanchalanno Muladhar
Author(s): Ratnabodhivijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 42
________________ (a) દેવગતિ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવ દેવરૂપે ઓળખાય છે. (b) મનુષ્યગતિ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવ મનુષ્ય રૂપે ઓળખાય છે. (C) તિર્યંચગતિ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવ તિર્યંચ રૂપે ઓળખાય છે. (d) નરકગતિ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવ નરક રૂપે ઓળખાય છે. (૨) જાતિ નામકર્મ ઃ જે કર્મના ઉદયથી જીવનો તે તે જાતિરૂપે વ્યવહાર થાય છે. તેના પાંચ ભેદ છે. તે આ પ્રમાણે (a) એકેન્દ્રિય જાતિ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનો એકેન્દ્રિયરૂપે વ્યવહાર થાય તે. (b) બેઇન્દ્રિય જાતિ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનો બેઇન્દ્રિયરૂપે વ્યવહાર થાય તે. (C) તેન્દ્રિય જાતિ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનો તે ઇન્દ્રિયરૂપે વ્યવહાર થાય તે. () ચઉરિન્દ્રિય જાતિ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનો ચઉરિક્રિય રૂપે વ્યવહાર થાય તે. (e) પંચેન્દ્રિય જાતિ નામકર્મ – જે કર્મના ઉદયથી જીવનો પંચેન્દ્રિયરૂપે વ્યવહાર થાય તે. જન્મથી આંધળો પણ ચઉરિન્દ્રિય નથી કહેવાતો, કેમકે તેને પંચેન્દ્રિય જાતિ નામકર્મનો ઉદય છે. બકુલ વગેરે વનસ્પતિને પાંચ ઇન્દ્રિયનું જ્ઞાન થતું દેખાવા છતાં તે પંચેન્દ્રિય નથી કહેવાતી, કેમકે તેને એકેન્દ્રિય જાતિ નામકર્મનો ઉદય છે. ૩) શરીર નામકર્મઃ જે કર્મના ઉદયથી જીવ તે તે શરીર યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે, તે તે શરીર રૂપે પરિણમાવે અને આત્માની સાથે એકમેક કરે તે. તેના પાંચ ભેદ છે. તે આ પ્રમાણે(a) ઓદારિક શરીર નામકર્મ - જે કર્મના ઉદયથી જીવ દારિક વર્ગણાના પુગલોને ગ્રહણ કરે, તેમને ઔદારિક શરીર રૂપે પરિણમાવે અને આત્માની સાથે એકમેક કરે તે. વિશ્વસંચાલનનો મૂલાધાર હા ૨૭ )

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180