Book Title: Vishva Sanchalanno Muladhar
Author(s): Ratnabodhivijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 125
________________ ક્ષપકશ્રેણિ કર્મોનો ક્રમશઃ ક્ષય કરવો તે ક્ષપકશ્રેણિ. અતિવિશુદ્ધ પરિણામવાળો, ૧લા સંઘયણવાળો, ૪થા થી ૭મા ગુણસ્થાનક સુધીમાં ૨હેલો, ધર્મધ્યાનવાળો, ૮ વર્ષની ઉપરનો મનુષ્ય ક્ષપકશ્રેણિ માંડે. ૧૪ પૂર્વધર અપ્રમત્ત સાધુ શુક્લધ્યાનમાં પણ ક્ષપકશ્રેણિ માંડે. ૧. પહેલા અનંતાનુબંધી ૪ એકસાથે ખપાવે. ૨. તેનો અનંતાનુબંધી-૪ નો અનંતમો ભાગ મિથ્યાત્વમોહનીયમાં નાંખી બન્નેને એક સાથે ખપાવે. ૩. | મિથ્યાત્વમોહનીયનો અનંતમો ભાગ મિશ્રમોહનીયમાં નાંખી બન્નેને એક સાથે ખપાવે. ૪. મિશ્રમોહનીયનો અનંતમો ભાગ સમ્યક્ત્વમોહનીયમાં નાંખી બન્નેને એક સાથે ખપાવે. ૫. | ત્યારપછી તે કૃતકરણ કહેવાય. ક્ષપકશ્રેણિ માંડતાં પૂર્વે જેણે આયુષ્ય બાંધ્યું હોય તે કૃતકરણ અવસ્થામાં અવસ્થામાં મૃત્યુ પામે તો બાંધેલા આયુષ્ય પ્રમાણે ચારમાંથી એક ગતિમાં જાય. જો તે કૃતકરણ અવસ્થામાં મૃત્યુ ન પામે, તો પણ દર્શન ૩ + અનંતાનુબંધી ૪ = દર્શન ૭ના ક્ષય પછી સ્થિર રહે, ચારિત્રમોહનીયને ખપાવે નહીં. ક્ષપકશ્રેણિ માંડતાં પૂર્વે જેણે આયુષ્ય ન બાંધ્યું હોય તે દર્શન ૭ના ક્ષય પછી અવશ્ય ચારિત્ર મોહનીયને ખપાવે, તે આ પ્રમાણે ૬. | પહેલા અપ્રત્યાખ્યાનીય ૪, પ્રત્યાખ્યાનીય ૪ આ ૮ને ખપાવવાનું શરૂ કરે. તેમને અડધા ખપાવી વચ્ચે થિણદ્ધિ ૩, વિકલેન્દ્રિય ૩, તિર્યંચ ૨, નક ૨, સ્થાવર ૨, આત૫ ૨, એકેન્દ્રિય, સાધારણ-આ ૧૬ને ખપાવે. પછી ૮ કષાયોનો બાકીનો ભાગ ખપાવે. ૧૦૪ ૪ થા થી ૭મા ગુણસ્થાનક સુધી ૯ માં ગુણસ્થાનકે જૈન દૃષ્ટિએ કર્મવિજ્ઞાન...

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180