________________
૨.
એમ કરતાં કરતાં છેવટે છેલ્લા અંતર્મુહૂર્તમાં તો અવશ્ય આયુષ્ય બાંધે છે, કેમકે નવા ભવનું આયુષ્ય બાંધ્યા વિના કોઇ જીવનું મરણ થતું નથી. આયુષ્યના બે પ્રકાર છે. તે આ પ્રમાણે
૧. અનપવર્તનીય આયુષ્ય અને ૨. અપવર્તનીય આયુષ્ય.
૧. અનપવર્તનીય આયુષ્ય : જે આયુષ્યની સ્થિતિ પૂર્વભવમાં જેટલી બાંધી હોય તેટલી જ રહે, ઓછી ન થાય તે અનપવર્તનીય આયુષ્ય. તેના બે પ્રકાર છે
૧. સોપક્રમ આયુષ્ય - જૈમનું આયુષ્ય નિમ્નોક્ત સાતમાંથી કો'ક એક નિમિત્ત પામીને પૂરું થાય, તે સોપક્રમ આયુષ્યવાળા કહેવાય અનપવર્તનીય આયુષ્યવાળા પણ પ્રતિવાસુદેવ, કેટલાક વાસુદેવ વગેરે આ રીતે મરતા હોય છે જેમકે કૃષ્ણ વાસુદેવ.
ઉપક્રમ ૭ પ્રકારના છે. તે આ પ્રમાણે
૧. અધ્યવસાય – તે ત્રણ પ્રકારના છે ૧) રાગ ૨) સ્નેહ ૩) ભય.
૨. નિમિત્ત – લાકડી, ચાબુક, શસ્ત્ર, દોરડું વગેરે.
૩. આહાર – અતિસ્નિગ્ધ કે ઘણું ખાવું.
૪. વેદના – શૂળરોગની પીડા વગેરે.
૫. પરાઘાત – ખાડામાં પડવું, ગલે ફાંસો ખાવો, ઝે૨ી દવા પીવી વગેરેથી આપઘાત કરવો તે.
૬. સ્પર્શ – અગ્નિ, સર્પનો ડંખ વગેરે.
૭. શ્વાસોચ્છવાસ – શ્વાસોચ્છ્વાસ વધી જવા કે સંધાવા.
નિરૂપક્રમ આયુષ્ય – જે આયુષ્યને ઉપક્રમો ન લાગે તે નિરૂપક્રમ આયુષ્ય. દેવો, નારકીઓ, અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો-પંચેન્દ્રિય તિર્યંચો, ચરમશરીરી જીવો અને ઉત્તમ પુરૂષો અનપવર્તનીય આયુષ્યવાળા જ હોય છે. ચરમશરીરી જીવો એટલે જેઓ તે જ ભવમાં મોક્ષે જાય છે તે જીવો. ઉત્તમ પુરૂષો એટલે તીર્થંકરો, ચક્રવર્તીઓ, વાસુદેવો, બળદેવો વગેરે. અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો-પંચેન્દ્રિય તિર્યંચો એટલે અકર્મભૂમિના, અંતદ્વીપના, દેવકુરૂ-ઉત્તરકુરૂના, કર્મભૂમિમાં અવસર્પિણીના પહેલા-બીજા-ત્રીજા આરાના અને ઉત્સર્પિણીના ચોથા-પાંચમા-છઠ્ઠા આરાના મનુષ્યો-પંચેન્દ્રિય તિર્યંચો, દેવો, ના૨કીઓ અને અસંખ્ય વર્ષના જૈન દ્રષ્ટિએ કર્મવિજ્ઞાન...
૧૧૮