Book Title: Vishva Sanchalanno Muladhar
Author(s): Ratnabodhivijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 139
________________ ૨. એમ કરતાં કરતાં છેવટે છેલ્લા અંતર્મુહૂર્તમાં તો અવશ્ય આયુષ્ય બાંધે છે, કેમકે નવા ભવનું આયુષ્ય બાંધ્યા વિના કોઇ જીવનું મરણ થતું નથી. આયુષ્યના બે પ્રકાર છે. તે આ પ્રમાણે ૧. અનપવર્તનીય આયુષ્ય અને ૨. અપવર્તનીય આયુષ્ય. ૧. અનપવર્તનીય આયુષ્ય : જે આયુષ્યની સ્થિતિ પૂર્વભવમાં જેટલી બાંધી હોય તેટલી જ રહે, ઓછી ન થાય તે અનપવર્તનીય આયુષ્ય. તેના બે પ્રકાર છે ૧. સોપક્રમ આયુષ્ય - જૈમનું આયુષ્ય નિમ્નોક્ત સાતમાંથી કો'ક એક નિમિત્ત પામીને પૂરું થાય, તે સોપક્રમ આયુષ્યવાળા કહેવાય અનપવર્તનીય આયુષ્યવાળા પણ પ્રતિવાસુદેવ, કેટલાક વાસુદેવ વગેરે આ રીતે મરતા હોય છે જેમકે કૃષ્ણ વાસુદેવ. ઉપક્રમ ૭ પ્રકારના છે. તે આ પ્રમાણે ૧. અધ્યવસાય – તે ત્રણ પ્રકારના છે ૧) રાગ ૨) સ્નેહ ૩) ભય. ૨. નિમિત્ત – લાકડી, ચાબુક, શસ્ત્ર, દોરડું વગેરે. ૩. આહાર – અતિસ્નિગ્ધ કે ઘણું ખાવું. ૪. વેદના – શૂળરોગની પીડા વગેરે. ૫. પરાઘાત – ખાડામાં પડવું, ગલે ફાંસો ખાવો, ઝે૨ી દવા પીવી વગેરેથી આપઘાત કરવો તે. ૬. સ્પર્શ – અગ્નિ, સર્પનો ડંખ વગેરે. ૭. શ્વાસોચ્છવાસ – શ્વાસોચ્છ્વાસ વધી જવા કે સંધાવા. નિરૂપક્રમ આયુષ્ય – જે આયુષ્યને ઉપક્રમો ન લાગે તે નિરૂપક્રમ આયુષ્ય. દેવો, નારકીઓ, અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો-પંચેન્દ્રિય તિર્યંચો, ચરમશરીરી જીવો અને ઉત્તમ પુરૂષો અનપવર્તનીય આયુષ્યવાળા જ હોય છે. ચરમશરીરી જીવો એટલે જેઓ તે જ ભવમાં મોક્ષે જાય છે તે જીવો. ઉત્તમ પુરૂષો એટલે તીર્થંકરો, ચક્રવર્તીઓ, વાસુદેવો, બળદેવો વગેરે. અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો-પંચેન્દ્રિય તિર્યંચો એટલે અકર્મભૂમિના, અંતદ્વીપના, દેવકુરૂ-ઉત્તરકુરૂના, કર્મભૂમિમાં અવસર્પિણીના પહેલા-બીજા-ત્રીજા આરાના અને ઉત્સર્પિણીના ચોથા-પાંચમા-છઠ્ઠા આરાના મનુષ્યો-પંચેન્દ્રિય તિર્યંચો, દેવો, ના૨કીઓ અને અસંખ્ય વર્ષના જૈન દ્રષ્ટિએ કર્મવિજ્ઞાન... ૧૧૮

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180