Book Title: Vishva Sanchalanno Muladhar
Author(s): Ratnabodhivijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 124
________________ ૬. પછી પુરૂષવેદ ઉપશમાવે અથવા, ૭. ઉપશ્રેણિ માંડનાર સ્ત્રી હોય તો પહેલા નપુંસકવેદ | ૯ મા ગુણસ્થાનકે પછી પુરૂષવેદ, પછી હાસ્ય ૬, પછી સ્ત્રીવેદ આ ક્રમે ઉપશમાવે. અથવા, ૮. ઉપશમશ્રેણિ માંડનાર, નપુંસક હોય તો પહેલા સ્ત્રીવેદ, પછી પુરૂષવેદ, પછી હાસ્ય ૬, પછી નપુંસકવેદ આ ક્રમે ઉપશમાવે. ૯. આમ નવે નોકષાયોને ઉપશમાવ્યા પછી અપ્રત્યાખ્યાનીય ક્રોધ-પ્રત્યાખ્યાનીય ક્રોધને એક સાથે ઉપશમાવે. ૧૦. પછી સંજ્વલન ક્રોધને ઉપશમાવે. ૧૧. પછી અપ્રત્યાખ્યાનીય માન-પ્રત્યાખ્યાનીય માન એક સાથે ઉપશમાવે. ૧૨. પછી સંજ્વલન માન ઉપશમાવે. ૧૩. પછી અપ્રત્યાખ્યાની માયા-પ્રત્યાખ્યાનીય માયાં એક સાથે ઉપશમાવે. ૯માં ગુણસ્થાનકે ૧૪. પછી સંજવલન માયા ઉપશમાવે. ૧૫. પછી અપ્રત્યાખ્યાનીય લોભ-પ્રત્યાખ્યાનીય લોભ / એક સાથે ઉપશમાવે. ૧૬. પછી સંજ્વલન લોભ ઉપશમાવે. ૯મા- ૧૦માં ગુણસ્થાનકે ૧૭. પછી જીવ ૧૧ મા ગુણસ્થાનકે જાય. ત્યાં મોહનીય કર્મ સંપૂર્ણ રીતે ઉપશાંત થઈ ગયું છે. તેનો કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી ૧૧ માં અંતર્મુહૂર્ત છે. ત્યાંથી બે રીતે પડે. ગુણસ્થાનકે ૧. કાળક્ષયથી – ૧૧મા ગુણસ્થાનકનો કાળ પૂરો થતા જે ક્રમે ચઢ્યો હોય તે ક્રમે પડે. ૨. ભવક્ષયથી – ૧૧મા ગુણસ્થાનકનો કાળ પૂરો થતાં પૂર્વે જો મરણ પામે તો વૈમાનિક દેવલોકમાં જાય. ત્યાં ૪થું ગુણસ્થાનક મળે. વિશ્વસંચાલનનો મૂલાધાર (૧૦૩ 9 )

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180