________________
1 अथ नरकाधिकार प्रारभ्यते ।
GST
' હવે દેવાધિકારની પરિસમાપ્તિ સૂચવવા અને નરકાધિકારની વક્તવ્યતા પ્રદર્શિત કરવા માટે કહે છે –
एवं देवोगाहणभवणाऊ वनिआ समासणं । ठिइपुढवीओगाहण, नरएसु अओ परं वुच्छं ॥ २३२ ॥
ટીકાર્થ –ઉક્ત પ્રકારવડે દેવોની અવગાહના, ભવન, આયુ-ઉપલક્ષણથી ઉપપાત ઉદ્વર્તન વિરહકાળ, ઉપપાત ઉદ્ધના સંખ્યા, ગત્યાગતિ અને પ્રસંગથી વર્ણાદિ અનેક બાબતો કહી, હવે પછી નારકેની સ્થિતિ એટલે આયુષ્ય, રત્નપ્રભાદિ પૃથ્વીના નામે અને શરીરની અવગાહના કહેશું. ૨૩૨
યથા ઉદેશ તથા નિદેશ, એ ન્યાયે પ્રથમ સ્થિતિ કહેવી જોઈએ, તે સ્થિતિ બે પ્રકારે છે. જઘન્ય ને ઉત્કૃષ્ટ. તેમાં પ્રથમ ઉત્કૃષ્ટ સ્થિતિ કહે છે –
सागरमेगं तिअ सत्त, दस य सत्तरस तह य बावीसा। तित्तीसं चेव ठिई, सत्तसु पुढवीसु उक्कोसा ॥ २३३ ॥
ટીકાર્થસાત પૃથિવીમાં આ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિ છે-રત્નપ્રભા પૃથિવીમાં એક સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, શર્કરામભામાં ત્રણ સાગરોપમની, વાલુકાપ્રભામાં સાતની, પંકપ્રભામાં દશની, ધૂમપ્રભામાં સત્તરની, તમ:પ્રભામાં બાવીશની અને તમસ્તમ પ્રભામાં તેત્રીશ સાગરોપમની સ્થિતિ છે. ૨૩૩
હવે સાત નરકમૃથિવીમાં જધન્ય સ્થિતિ કહે છે – जा पढमाए जिट्ठा, सा बीआए कणिट्ठिआ भणिआ। तरतमजोगो एसो, दसवाससहस्स रयणाए ॥ २३४ ॥