Book Title: Bruhat Sangrahani
Author(s): Jinbhadra Gani
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 229
________________ - ૨૦૮ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર. [ તિર્યંચમનુષ્યાધિકાર. ટીકાર્થી–સિદ્ધિગતિમાં વિરહ જઘન્ય એક સમયને અને ઉત્કૃષ્ટ છે માસને છેતે સિદ્ધિગતિ નિશ્ચયે ઉદ્વર્તન રહિત છે. નિયમ જે જીવો સિદ્ધ થયા તે કદાપિ પણ ત્યાંથી ચવતા નથી, કેમકે ઉદ્વર્તનાના હેતુભૂત કર્મોને નિર્મૂળ કરી નાખ્યા છે. કહ્યું છે કે – दग्धे बीजे यथाऽत्यन्तं, प्रादुर्भवति नांकुरः। कर्मबीजे तथा दग्धे, न रोहति भवांकुरः ॥ १॥ બીજ અત્યંત બળી ગયે સતે તેને નવા અંકુર આવતા નથી તેમ કર્મરૂપી બીજ અત્યંત દગ્ધ થયે સતે ભવરૂપી અંકુર ઉત્પન્ન થતા નથી.” ૩૪૫ હવે એક સમયે કેટલા સિદ્ધિગતિને પામે ? તે કહે છે – एक्को व दो व तिन्नि व, अट्ठसयं जाव एगसमएणं । मणुअगईओ गच्छे, संखाउअ वीअरागा उ ॥ ३४६ ॥ ટીકાર્ય એક સમયે જઘન્યથી એક, બે અથવા ત્રણ સિદ્ધ, ઉત્કૃષ્ટ ૧૦૮ સિધે, તે મનુષ્યગતિમાંથી જ સિધ્ધ; બીજી ગતિમાંથી નહીં. મનુષ્યમાંથી પણ સંખ્યાતા આયુવાળા જ સિધ્ધ (યુગલિકે નહીં.) તેમાં પણ વીતરાગ થયેલા-રાગ રહિત થયેલા ઉપલક્ષણથી સર્વ કર્મકલંકથી રહિત થયેલા સિધે. અન્યમતવાળાની જેમ સત્કર્મો પણ સિધ્ધ નહીં. ૩૪૬. આ સંબંધમાં વિશેષ રીતે સંખ્યા પ્રદર્શિત કરે છે – बत्तीसा अडयाला, सट्ठी बावत्तरी य बोधव्वा। चुलसीई छण्णउई, दुरहिअमट्टत्तरसयं च ॥३४७ ॥ શબ્દાર્થ –બત્રીશ, અડતાળીશ, સાઠ, બહેતેર, ચોરાશી, છનું, એક સો બે ને એક સો આઠની સંખ્યા (સમયસિદ્ધની) જાણવી. ટીકાર્થ –એકથી માંડીને બત્રીશ સુધી નિરંતર સિધે તે આઠ સમય સુધી સિધ્ધ. અહીં આ સાર સમજવો કે–પહેલે સમયે જઘન્યથી એક, બે, ત્રણ ઉછા બત્રીશ સિધ્ધ, બીજે સમયે પણ જઘન્યથી એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ બત્રીશ સિધે, એમ ત્રીજે, ચોથે, યાવત્ આઠમે સમયે જઘન્યથી એક, બે, ઉત્કૃષ્ટ ૩૨ સુધી સિધે તે ત્યારપછી જરૂર સમયાદિનું અંતર પડે.

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298