________________
નિવેદન.
—
શ્રી બૃહસંગ્રહણિ સટીકના ભાષાંતર સાથે છપાવતાં તેની અંદર જરૂરી સ્થળે કેટલાએક યંત્રો આપેલા છે, છતાં ગુરુજી લાભશ્રીજીની ધારણું જેમ બને તેમ વધારે યંત્રો ખાસ જુદા છપાવવાની થવાથી તેમની પાસેની લખેલી પ્રતને આધારે તેમણે કેટલાક યંત્ર શાસ્ત્રી જેઠાલાલ પાસે તૈયાર કરાવ્યા. તે ઉપરથી આ યંત્ર સંગ્રહ ખાસ જુદો છપાવવામાં આવ્યું છે. આમાં એકંદર ૪૧ યંત્રો આવેલા છે, પરંતુ તેમાં કેટલાક યંત્રે તે એકથી વધારે પૃષ્ઠમાં સમાયેલા છે. ખાસ કરીને જબૂદ્વીપના બે સૂર્યનું દરેક માંડલે અંતર (આયામ ને વિષ્ક ભ), દરેક માંડલાની પરિધિ અને દરેક મંડળ બે સૂર્ય મળીને એક અહોરાત્રે (૩૦ મુહૂર્ત ) પૂર્ણ કરતા હોવથી દરેક મંડળે મુહૂર્તગતિ એક સો ને ચોરાશીએ મંડળ માટે બતાવનારું યંત્ર આ બુકના પૃષ્ઠ ૧૧ થી ૧૭ સુધીમાં મૂકેલ છે તે પ્રાયે અન્યત્ર લભ્ય થાય તેમ નથી. ચંદ્રને માટે પણ એ જ પ્રમાણે દરેક મંડળનો આયામ વિષ્કભ (અંતર), પરિધિ ને મુહૂર્તગતિ બતાવવામાં આવી છે, પરંતુ તેને મંડળ ૧૫ જ હેવાથી તેને એકલા દશમા પૃષ્ઠમાં જ સમાવેશ થયેલ છે.
પ્રથમના ૨૭ યંત્ર ચારે ગતિના દેવે સંબંધી છે, પરંતુ તેમાં ત્રણ યંત્ર (૧૨-૧૩-૨૫) પ્રાસંગિક છે. ત્યારપછીના ૮ (૨૮ થી ૩૫) યંત્રો નારકી સંબંધી છે, પરંતુ તેમાં ૩૧મા યંત્રે ચાર પૃષ્ઠ રોક્યા છે. ત્યારપછીના છેલ્લા ૬ યંત્રે જુદા જુદા વિષયના છે, પરંતુ બહુ જ ઉપયોગી છે. ૨૪ દંડકે ૨૪ દ્વારનું યંત્ર, સિદ્ધાધિકાર અને ત્રણે લેકના શાશ્વત ચૈત્ય ને જિનબિંબોની સંખ્યાનું યંત્ર સમજૂતી સાથે આપેલ છે તે ખાસ ધ્યાન ખેંચે તેમ છે.
આ યંત્રના સંગ્રહની બુક બૃહસંગ્રહણિના ભાષાંતર સાથે પણ જોડવાનું ધાર્યું છે. જો કે આમાંના કેટલાક યંત્રો તે બુકમાં આપેલા છે પરંતુ આ સંગ્રહ ખાસ તૈયાર કરવામાં આવેલ હોવાથી વધારે ઉપગી છે. એને વધારે ઉપયોગી બનાવવા માટે મેં મારાથી બનતો પ્રયાસ કર્યો છે, તેમાં સ્કૂલના રહી ગઈ હોય તે તે સૂચવવા માટે વિદ્વર્ગને વિનંતિ કરી આ ટૂંક નિવેદન સમાપ્ત કરું છું.
સં. ૧૯૯૧ ફાગુન શુદિ ૧
કુંવરજી આણંદજી.
ભાવનગર.
/