________________ સદા પ્રસન્નપણે સુંદર રીતે પુસ્તકની એન્ટ્રી વગેરે કરી આપનારા શ્રી પાર્શ્વ કોમ્યુટર્સવાળા શ્રી વિમલભાઈને તો કયા શબ્દોથી નવાજવા ? પ્રાન્ત, પ્રસ્તુત પુસ્તકના માધ્યમે ખરા અર્થમાં ક્રોધ ઉપર અને કર્મ ઉપર વિજય મેળવી શકીએ, પરમપદને આપણે પ્રાપ્ત કરી શકીએ તે જ પ્રાર્થના. તરણ તારણ જિનાજ્ઞાવિરુદ્ધ આલેખાયું હોય તો મિચ્છા મિ દુક્કડમ્. પરમ પૂજ્ય આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમ પૂજ્ય પૂના જિલ્લા ઉદ્ધારક પંન્યાસપ્રવર શ્રી વિશ્વકલ્યાણવિજયજી મહારાજાનો શિષ્યાણ પંન્યાસ યશોવિજય વિ.સં. 2070, મૌન એકાદશી વાંકી તીર્થ 15