Book Title: Vishanima Vanik Gnatino Itihas
Author(s): Mahasukhram Prannath Shrotriya
Publisher: Vadilal Mansukhram Parekh

View full book text
Previous | Next

Page 295
________________ મ - ૨૪ ૯ કેળવણી લીધા પછી દરેક વ્યક્તિએ પોતાની કોમને ઓછામાં ઓછાં ત્રણ વરસ સુધી સેવા આપવી. ૧૦ ઉદરગેર નીમા વાણીયા શીવાય કોઈની આગળ હાથ લંબાવતા નથી તો તેમની જ્ઞાતિને નીમા વાણીઆનું એક અંગ સમજીને તેમના બાળકોને મદદ કરી આગળ લાવવાની દરેક પિતાની ફરજ સમજવી. ઉપર મુજબ ચાર વકતા પુરા થયા પછી ૪-૧૫ મીનીટે ગાંધી નગીનભાઈ ગબુભાઈ તરફથી રાખેલા ચા-પાણીના મેળાવડામાં જવા સારું સંમેલનની બેઠક અડધા કલાક માટે મુલતવી રહી હતી. ચારને પીસ્તાલીસે પાછી બેઠક શરૂ થતાં કપડવણજવાળા શા. ગીરધરલાલ છોટાલાલે પુરૂષ કેળવણી કરતાં સ્ત્રી કેળવણી ઉપર વધુ ભાર મુકી વીસ્કૃત ભાષણ કર્યું હતું. તેમજ છોકરાઓ માટે ઉધોગીક કેળવણી તરફ બોલતાં દરેકને પિતાના બાળકને તે તરફ દોરવા માટે સભાજનોનું ધ્યાન ખેંચ્યું હતું. - ત્યારબાદ તેઓએ સુરતમાં આવેલા જૈન દેરાસરની સવીરતર હકીકત કહી હતી કે જે દેરાસર સુરતમાં બાગની અંદર આવેલું છે અને તેની અંદર આપણી નીમા કામનાં ભરાવેલાં પચાસથી સાઠ બીંબ છે તેમ જણાવ્યું હતું. સુરતની મ્યુનિસિપાલિટિએ આ દેરાસરને બાગમાંથી હટાવવા માટે પ્રયત્ન કરેલ તેના અંગે સુરતના જૈનોએ વાંધો ઉઠાવેલ અને તે બાબત કેસ થયેલો તેની હકીકત વિગતવાર જણાવી હતી. આખરે સને ૧૯૪૨ માં દીવાની કોર્ટમાં જૈનેની જીત થઈ અને જજમેન્ટ જૈનના તરફેણમાં આવ્યું. આ હકીકતને લગતું એક છાપું નામે જૈન જીવન માટે જાનેવારી સને ૧૯૩૧ નું સામેલ કર્યું હતું. આ ઉપરથી સુરતની અંદર નીમા વાણીઆઓની મોટી વસ્તી તે ટાઈમે હોવી જોઈએ એવું તેમણે પુરવાર કર્યું હતું અને અપીલ કરી હતી કે આ દેરાસર માટે યોગ્ય બંદોબસ્ત કરવા આ સમીતી પિતાથી બનતું કરશે. આટલું બોલી તેઓ બેસી ગયા હતા, ત્યારબાદ પડવણજના વતની મેસર્સ બાટલીબઈની કે. વાળા શ્રીયુત વાડીલાલ મનસુખરામે સંમેલનના ભવિષ્યના નીભાવના જરૂરી ખરચ માટે ઓછામાં ઓછી રૂ. ૧૦૦૦ની મુડી ભેગી કરવાને નિર્ણય કરવા જાહેર કર્યું હતું અને તેમ થાય તે કપડવણજના જૈન પંચ તરફથી રૂા. ૩૫૧) આપવાનું તેઓએ જાહેર કર્યું હતું. શ્રી વેજલપુરના સંધ તરફથી સંમેલનના ભવિષ્યના નીભાવના ખરચ માટે રૂા. ૧૫૧ આપવા શા. છબીલદાસ મણીલાલે જાહેર કર્યું હતું. મહુધા-યુનેલના પંચ તરફથી ભાઈ શામળદાસ ભુરાભાઇએ સંમેલનના ખરચના નીભાવ માટે રૂ. ૧૫) આપવાનું જાહેર કર્યું હતું. લુણાવાડા વીરપુરના પચ તરફથી રૂ. ૧૫૧ સંમેલનના ભવિષ્યના નીભાવ માટે વકીલ ભાઈશ્રી ભાઈચંદભાઈ જેચંદભાઈ તેલીએ જાહેર કર્યું હતું. ગોધરા તરફથી શ્રીયુત શેઠ છોટાલાલ મનસુખભાઈએ ગોધરાના સમસ્ત પંચ તરફથી સંમેલનના ભવિષ્યના નીભાવ માટે રૂ. ૩૨૫ આપવાનું જાહેર કર્યું હતું.

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390