Book Title: Vishanima Vanik Gnatino Itihas
Author(s): Mahasukhram Prannath Shrotriya
Publisher: Vadilal Mansukhram Parekh

View full book text
Previous | Next

Page 362
________________ શ્રી વિસાનીમા જૈન સમસ્ત જ્ઞાતિ મંડળનું બંધારણ. (ગોધરા મુકામે શ્રી. વિસા નીમા જૈન સમસ્ત જ્ઞાતિ મંડળના દ્વિતિય અધિવેશનમાં તા. ૨૯-૧૨-૪૫ ના રોજ સર્વાનુમતે પસાર કરી આ બંધારણ અમલમાં મુક્યું ) સંસ્થાના હેતુઓ. જુદા જુદા શહેર અને ગામે જેવાં કે (૧) કપડવણજ, (૨) ગોધરા, (૩) વેજલપુર (૪) લુણાવાડા-વીરપુર, (૫) મહુધા ચુણેલ-કાનમ-સુરત તથા આ ઉપરાંત બીજે છુટા છવાયા વસતા અને કાળક્રમે એકમેકથી લગભગ અજાણ થઈ ગયેલા વિસા નીમાં સ્વ. મૂ. જૈન જ્ઞાતિ ભાઈઓને સંપર્ક, સમાગમ સાધવા, બંધુભાવ કેળવવા, નીકટ પરિચયમાં આવવા, તથા જ્ઞાતિના ઉત્કર્ષ માટે જુથબળ અને સંગઠન મેળવવા માટે તથા સમસ્ત જ્ઞાતિની ધાર્મિક આર્થિક અને સામાજિક ઉન્નતિ કરવા અને કેળવણીનો પ્રચાર સાધવા તથા પરસ્પર ભાતૃભાવની લાગણી વધારવા, એકબીજાને સહાય કરી, સહકાર કરી વ્યક્તિ કે સમષ્ટિ રીતે ઉપયોગી થવા વિગેરે જ્ઞાતિના શ્રેય માટેનાં કામે હાથ ધરવી, તથા તે માટે ભંડળો એકઠાં કવાર માટે તથા જ્ઞાતિમાં રૂઢ થઈ ગયેલા કેટલાક કુરિવાજોને અને કઢીઓને જેમ બને તેમ એાછાં કરવા કે કાઢી નાખવા, ગામેગામના જ્ઞાતિ રિવાજે જુદા જુદા હોય તે સરખા કરવા અને શક્ય હોય ત્યાં ફેરફાર કરવા માટે પગલાં લેવા, જ્ઞાતિભાઇઓ સાથેનો પ્રેમ વધારવા, દતિર કામની સાથે ધાર્મિક સિધ્ધાંતને બાધ ન આવે તે રીતે શકય હોય ત્યાં સહકાર આપવા અને સહકાર મેળવવા યોગ્ય પ્રવૃત્તિ કરવા એ વિગેરે આ સંસ્થાના હેતુઓ છે. બંધારણ ૧. સંસ્થાનું નામ. આ સંસ્થાનું નામ “શ્રી વસાનીમા જૈન સમસ્ત જ્ઞાતિ મંડળ” રાખવામાં આવ્યું છે. અને તે આ બંધારણમાં “મંડળ” ના ટુંક નામથી ઓળખાશે. ૨, સંસ્થાનાં એકમો, (અ) આ મંડળ નીચેના એકમો (units)નું બનેલું રહેશે – (૧) કપડવણજ, (૨) ગોધરા, (૩) વેજલપુર, (૪) લુણાવાડા-વીરપુર, (૫) મહુધા-ચુણેલ-કાનમ-સુરત. (બ) ઉપરના એકમો ઉપરાંત વધુ એકમો ઉમેરવા મંડળને સત્તા રહેશે. (ક) આ મંડળમાં ભાગ લેનાર વિસા નીમા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક હોવા જોઈએ.

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390