________________ મૃત્યુને જે ભય છે, એમાં જે અનિશ્ચિતતા છે, એ કદાચ આપણા માટે સારાં છે. કેમકે મૃત્યુના ભયથી પણ ઘણા લેકે સારા માર્ગ-ધર્મના માર્ગે વળે છે. મૃત્યુ એટલે દેહ અને આત્માને વિયેગ. આત્માના વિગ પછી, મૃત દેહને એક દિવસ રાખે કે બે દિવસ રાખે એમાં પુનઃ આત્મા નહીં આવે, મૃત્યુ પછી જ માત્ર બે ચાર સમયમાં જ જીવ અન્ય જન્મ ધારણ કરી લે છે. 48 કલાક સુધી રાખ્યા પછી એ મડદાને તમે બાળી આવે ત્યાં સુધીમાં તે કદાચ એ જીવના બે-ત્રણ ભવ પણ થઈ ગયા હોય. સંસાર અને ચક એ બે શબ્દ છે. સંસારના ચક્રમાં ફસાયેલાં બધાં ચક્રમ જ છે. જે જીવને સાચે માર્ગ મળ્યો નથી, સાચી દિશા સાંપડી નથી તે આ ચક્કરમાં અટવાઈ ગયે. સંસારરૂપી ચકરડું છે. અને એ જ ચકરડું તમારા વેપારમાં પણ આવ્યું છે. મેળામાં ચકકર ફરતું ચકરડું હોય છે ને? : એ બાળકને બહુ ગમે છે. ' નાનું બાળક એમાં ખોવાઈ જાય છે. નાના બાળકને સ્લેટ પિન આપે તે એ પણ