________________
યુગદષ્ટા આચાર્ય શ્રીવિજયવલ્લભસૂરીશ્વરજી
૮૩
કે એએશ્રીએ આત્મ-સાધના ઓછી કરી છે. પરંતુ કેવળ આત્મસાધનામાં જ પોતાનું જીવન મર્યાદિત બનાવવાને બદલે સમાજસેવા દ્વારા જીવનનો વિકાસ કરવાના આશયમાંથી આચાર્યશ્રીની અનેકવિધ પ્રવૃત્તિઓ જન્મેલી. આત્માના વિકાસની વાતો આચાર્યશ્રીને મંજૂર હતી પણ એની સાથોસાથ એ સમાજના ઉત્કર્ષનું, શ્રાવકોની ઉન્નતિનું અને એ દ્વારા આખા સમાજને પ્રગતિના માર્ગે લઈ જવાનું એ કદી વીસરી શકતા નહિ.
ધર્મ પહેલો કે સમાજ પહેલો? ધર્મથી સમાજ છે કે સમાજથી ધર્મ? આ પ્રશ્નો મહત્ત્વના છે. જૈન આચાર્ય સદાયે ઝંખે છે મોક્ષને, સાંસારિક પ્રવૃત્તિમાંથી આત્માના કલ્યાણને કાજે નિવૃત્તિને; એ બોધ કરે છે નિવૃત્તિનો, વૈરાગ્યનો, દીક્ષાનો અને ધર્મનો. આચાર્યશ્રીના પ્રવચનોમાં આને માટે બોધ નથી એમ કહી શકાય નહિ. પણ એઓશ્રીના પ્રવચનોમાં માત્ર આ જ વસ્તુ નથી. ધર્મના પ્રશ્નો આવે ધર્મની કથા આવે અને તત્ત્વજ્ઞાનની ચર્ચા આવે ત્યારે આચાર્યશ્રી જરૂર આ વસ્તુ પર ભાર મૂકતા અને બોધ આપતા. પરંતુ એમનો મુખ્ય હેતુ સમાજના ઉત્કર્ષનો, સમાજના મધ્યમ વર્ગના માનવીને ઊંચે લઈ જાય તેવો બોધ આપવાનો રહેતો. સામાન્ય માનવીને તેઓ સ્પષ્ટ હકીકતો રજૂ કરી કહેતા : “હું ઝંખું છું સામાન્ય માનવીના ઉત્કષને, જૈન યુનિવર્સિટીને હજારો શ્રાવકો આર્થિક રીતે ભીંસાતા હોય ત્યારે આ બેદરકારી ન શોભે. સમાજ જીવશે તો ધર્મ જીવશે. સમાજમાં જૈનધર્મીઓનું નેતૃત્વ હશે તો જ જૈન-ધર્મની વાહવાહ ખોલાશે. દેવમંદિરોની જેમ જ્ઞાનમંદિરો પણ પ્રવૃત્તિથી ગુંજતા હોવા જોઈ એ.”
આનો અર્થ એ નથી કે આચાર્યશ્રીને પોતાના ધર્મનો ખ્યાલ ન હતો. પૂર્વ આત્મારામજી મહારાજ અને એમના ગુરુઓમાં આચાર્યશ્રીએ આદર્શ સાધુના ધર્મનું ઉત્કૃષ્ટ સ્વરૂપ નિહાળ્યું હતું. પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ, શ્રી હંસવિજયજી મહારાજ, શ્રી વીરવિજયજી મહારાજ વગેરેની જીવનચર્યાનો આચાર્યશ્રીને ગાઢ પરિચય હતો. એમના આશીર્વાદો પણ આચાર્યશ્રીને મળેલા હતા પણ સમાજના માર્ગદર્શક કે ઉદ્ધારક થવામાં આચાર્યશ્રીને આદર્શ સાધુજીવન સાથે કોઈ પણ જાતનો બાધ ન જણાયો. ઊલટું એમાં એમને આત્મવિકાસ માટે વધુ અવસર મળતો લાગ્યો. પરિણામે એઓશ્રીની પ્રવૃત્તિઓ અને જીવનચર્યાં પણ એ રીતે ચાલી. એક સંસ્થા શરૂ થાય એટલે એના વિકાસ માટે ખીજી અનેક પ્રવૃત્તિઓ જન્મે અને એ માટે બીજી અનેક જાતની ચિંતાઓ સેવવી પડે એ સ્વાભાવિક છે. પંજાબની અનેક સંસ્થાઓ માટે આચાર્યશ્રી હમેશાં ચિંતા વ્યક્ત કરતા. છતાં તેઓ કદી સમાજમાંથી શ્રદ્દા ગુમાવતા નહિ. સંસ્થાઓ માટે આચાર્યશ્રી નિઃસંકોચ હાથ લાંબો કરી શકતા અને ખીજાઓને એમ કરવાની પ્રેરણા આપતા. તેઓ કાર્યકર સમક્ષ એક ઉત્તમ ઉદાહરણ રજૂ કરતા. અનેક સ્થળના વિહારમાં, દિનચર્યામાં તેમ જ પત્રવ્યવહારમાં આચાર્યશ્રીની આ પ્રવૃત્તિનું દર્શન થઈ શકે તેમ છે. આથી એમના જીવનની પ્રત્યેક પળ કોઈ ને કોઈ કાર્યમાં મગ્ન થયેલી આપણને દેખાય છે.
- હે ગૌતમ ! એક ક્ષણમાત્રનો પણ પ્રમાદ તું ન કરીશ ”—પ્રભુ મહાવીરનો આ જીવનસંદેશ આચાર્યશ્રીએ જીવનમાં ઉતાર્યો હતો. જીવનની પ્રત્યેક પળ કોઈ ને કોઈ કાર્યમાં, કોઈ ને કોઈ ઉપાસનામાં વીતતી હતી. સવારના ચારથી ઊઠીને રાત્રે સંથારો કરે ત્યાં સુધી એમનું કાર્ય ચાલતું. આગંતુકો સાથે સંકુચિતતાના નામ વિના જીવન-સિદ્ધિની કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવે જન્માવેલા અનેક વિષયોની ચર્ચા ચાલે.
સામાન્ય જનતા કેવું જીવન જીવે છે એનો ખ્યાલ આચાર્યશ્રીને વિહારમાં મળતો. જન-સંપર્કના પરિણામે સમાજના દુઃખ-સુખ, વ્યક્તિઓની ઇર્ષ્યા-અસૂયા-ઝેર અને વ્યક્તિના ગુણો, દેશનું વ્યાપક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org