________________
૧૫૮
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
છીએ એમ માનવા લાગ્યા અને તે પ્રમાણે ઉપદેશ કરવા લાગ્યા. ઘણા લોકો વળી તેને અનુસરવા પણુ લાગ્યા. જગતમાં જુદા જુદા ધર્મમત જોવામાં આવે છે તેની ઉત્પત્તિનું કારણ એ જ છે.
ધર્મથી દુ:ખ મટે એમ ઘણાખરા વિચારવાનોની માન્યતા થઈ, પણ ધર્મનું સ્વરૂપ સમજવામાં એકખીજામાં ધણો તફાવત પડ્યો. ધણા તો પોતાનો મૂળ વિષય ચૂકી ગયા અને ઘણા તો તે વિષયમાં મતિ થાકવાથી અનેક પ્રકારે નાસ્તિકાદિ પરિણામોને પામ્યા.
"
સર્વ દુઃખનો આત્યંતિક અભાવ અને પરમ અવ્યાબાધ સુખની પ્રાપ્તિ એ જ ‘મોક્ષ' છે અને તે જ ‘પરમહિત ’ છે. વીતરાગ સન્માર્ગ તેનો ‘સદુપાય’ છે, તે સન્માર્ગનો આ પ્રમાણે સંક્ષેપ છેઃ
સમ્યગ્દર્શન, સમ્યગ્નાન અને સમ્યક્ચારિત્રની એકત્રતા તે ‘ મોક્ષમાર્ગ ’ છે. સર્વજ્ઞના જ્ઞાનમાં ભાસ્યમાન તત્ત્વોની સમ્યક્ પ્રતીતિ થવી તે · સમ્યગ્દર્શન ’ છે, તત્ત્વનો બોધ થવો તે સમ્યજ્ઞાન છે. ઉપાદેય તત્ત્વનો અભ્યાસ થવો તે ‘ સમ્યક્ચારિત્ર ' છે. શુદ્ધ આત્મપદ સ્વરૂપ એવાં વીતરાગપદમાં સ્થિતિ થવી તે એ ત્રણેની એકત્રતા છે. સર્વનદેવ, નિગ્રંથગુરુ અને સર્વજ્ઞોપદિષ્ટ ધર્મની પ્રતીતિથી ‘ તત્ત્વપ્રતીતિ ’ પ્રાપ્ત થાય છે.
દ્ર
સર્વ જ્ઞાનાવરણુ, સર્વ દર્શનાવરણ, સર્વે મોહ અને સર્વ વીર્યાદિ અંતરાયનો ક્ષય થવાથી આત્માને સર્વજ્ઞ વીતરાગ-સ્વભાવ ’ પ્રગટે છે. નિભ્રંથપદના અભ્યાસનો ઉત્તરોત્તર ક્રમ તેનો · માર્ગ ’ છે. તેનું રહસ્ય સર્વનો પર્દિષ્ટધર્મ ’છે.
(
*
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રમાં સમ્યગ્દર્શનની મુખ્યતા ધણે સ્થળે તે વીતરાગોએ કહી છે; જો કે સમ્યગ્નાનથી જ સમ્યગ્દર્શનનું પણ ઓળખાણ થાય છે, તો પણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વગરનું જ્ઞાન સંસાર એટલે દુઃખના હેતુરૂપે હોવાથી સમ્યગ્દર્શનનું મુખ્યપણું ગ્રહણ કર્યું છે.
*
જેમ જેમ સમ્યગ્દર્શન શુદ્ધ થતું જાય છે, તેમ તેમ સમ્યક્ચારિત્ર પ્રત્યે વીર્ય ઉલ્લસતું જાય છે; અને ક્રમે કરીને સમ્પારિત્રની પ્રાપ્તિ થવાનો વખત આવે છે, જેથી આત્મામાં સ્થિર રવભાવ સિદ્દ થતો જાય છે, અને ક્રમે કરીને પૂર્ણ સ્થિર સ્વભાવ પ્રગટે છે; અને આત્મા નિજપદમાં લીન થઈ સર્વ કર્મકલંકથી રહિત થવાથી એક શુદ્ધ આત્મસ્વભાવરૂપ મોક્ષમાં પરમ અવ્યાબાધ સુખના અનુભવસમુદ્રમાં સ્થિત થાય છે.
સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી જેમ જ્ઞાન સમ્યક્રવભાવને પામે છે એ સમ્યગ્દર્શનનો પરમ ઉપકાર છે, તેમ સમ્યગ્દર્શન ક્રમે કરી શુદ્ધ થતું જઈ પૂર્ણ સ્થિર સ્વભાવ સમ્યક્ચારિત્રને પ્રાપ્ત થાય તેને અર્થે સમ્યગજ્ઞાનના બળની તેતે ખરેખરી આવશ્યકતા છે. તે સમ્યજ્ઞાનપ્રાપ્તિનો ઉપાય વીતરાગશ્રુત અને તે શ્રુતતત્ત્વોપદેષ્ટા મહાત્મા છે.
૧. આત્માને સ્વભાવમાં ધારે તે ‘ ધર્મ’, આત્માનો સ્વભાવ તે ધર્મ, સ્વભાવમાંથી પરભાવમાં ન જવા દે તે ધર્મ, પરભાવ વડે કરીને આત્માને દુર્ગંતિએ જવું પડે તે ન જવા દેતાં સ્વભાવમાં ધરી રાખે તે ધર્મ, સમ્યક્ શ્રદ્ધાન, જ્ઞાન અને સ્વરૂપાચરણ તે ધર્મ, સભ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યક્ચારિત્ર એ રત્નત્રયીને શ્રીતીર્થંકરદેવ ધર્મ કહે છે. ષટ્વવ્યનું શ્રદ્ધાન, જ્ઞાન અને સ્વરૂપાચરણ તે ધર્મ ઃ જે સંસારના પરિભ્રમણથી છોડાવી ઉત્તમ સુખમાં ધરી રાખે તે ધર્મ, (રત્નકરેંડ શ્રાવકાચાર) • ધર્મ ' એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે ખાઘ સંશોધનથી મળવાની નથી. અપૂર્વ અંતસંશોધનથી તે પ્રાપ્ત થાય છે, તે અંતસંશોધન કોઈક મહાભાગ્ય સદ્ગુરુ અનુગ્રહે પામે છે. (શ્રીમદ્ રાજચંદ્ર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org