________________
જૈન સાહિત્યનાં પદો વિષે વિચારણા
અહીં ઈશ્વરને માટે શ્યામ”, “પ્રાણનાથ' વગેરે સંબોધનો, સ્પષ્ટ રીતે, ગોપી જ કૃષ્ણને સંબોધતી હોય. અને પોતાની વિરહદના આર્ટ શબ્દોમાં વ્યક્ત કરતી હોય એમ લાગે છે. આનંદધનજીનું નીચેનું પદ તો એથી પણ વધારે આગળ વધીને, જાણે દયારામ કે નરસિહે જ લખ્યું હોય, એવી ઉત્કટ શૃંગારની પરિભાષામાં પોતાના ભાવો વ્યક્ત કરે છે.
પિયાબીન સુધબુધ ખુંદી હો વિરહ ભુજંગ નિશા સમે, મેરી સેજડી બુંદી હો. નિશદિન જેઉં તારી વાટડી
ઘેરે આવો રે ઢોલા. અથવા
મીઠો લાગે તો ને ખારો લાગે લોક
કેતવિહુણી ગોડી, તે રણમાંહે પોક. જાણીતા કવિ યશોવિજયજી પણ એમના પદોમાં ગોપીભાવને મળતો પ્રિયતમ-પ્રિયતમાનો ભાવ નિરૂપે છે. એમના એક પદમાં એઓ કહે છે:
પિયુ પિયુ કરી તુમને જપું રે હું ચાતક તુમે મેહ
(ચૈત્યવંદન ચોવીશી) આ પંક્તિ મીરાંની આવી જ ઉપમાવલિઓની સહજ રીતે આપણને યાદ આપે છે. આ પરિભાષા એ જૈનપદ સાહિત્યની એક વિશેષતા ગણી શકાય. જૈન રાસાઓ, કથાઓ તથા પ્રબંધોમાં શૃંગાર આવે છે, પણ એ શૃંગારનું એ પ્રકારોમાં સ્વતંત્ર સ્થાન છે. ભક્તિની ભાવનાને વ્યક્ત કરવાની પરિભાષા યા તો રૂપક તરીકે નહિ.
જૈનો મુખ્યત્વે વાણિજ્ય પ્રધાન કોમ હોઈ વાણિજયની પરિભાષા કે વાણિજ્ય જગતમાંથી લીધેલાં રૂપકો પણ જૈનપદોમાં સ્વાભાવિક રીતે મળે છે. આપણા વાણિયપ્રધાન મુલકને એવાં રૂપકો વિશેષ રૂચે અને ગ્રાહ્ય બને એ સ્વાભાવિક છે. આનંદધનજીના નીચેના પદમાં જિંદગી ટૂંકી છે અને જીવનમાં આપણે જે સાધવાનું છે તે ઘણું છે, એ હકીકત વેપારની પરિભાષામાં સમજાવતાં એઓ કહે છે:
મૂલડો થોડો ભાઈ વ્યાજડો ઘણો રે,
કેમ કરી દીધો રે જાય. તલપદ પૂંજી મેં આપી સઘળી રે,
તોય વ્યાજ પૂરું નહિ થાય. વ્યાપાર ભાગો જલવટ થલવટે રે,
ધીરે નહિ નિશાની માય. વ્યાજ બોડાવી કોઈ ખંદા પર,
તો મૂલ આખું સમ ખાય. હાટડું મારું રૂડાં માણેકચોકમાં રે,
સાંજનિયાનું મનડું મનાય. આનંદઘન પ્રભુ શેઠ શિરોમણિ રે,
બાંહડી ઝાલજે રે આય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org