________________
યુગદણા આચાર્ય શ્રીવિજ્યવલ્લભસૂરીશ્વરજી જ્ઞાનપ્રચાર કરી ઠેર ઠેર પાઠશાળા, કન્યાશાળા, પુસ્તકાલ્ય, નિશાળો, વિદ્યાલયો વગેરે માટે પ્રેરણા આપી. સર્જકશક્તિ અને સરળ ભાષા -
આચાર્યશ્રીમાં સર્જકશક્તિ અને કલ્પનાશક્તિ હતાં, પરંતુ સમાજસેવાના વિશાળ કાર્યમાં આ શક્તિને વિકસાવવાની એઓશ્રીને પૂરી તક ન મળી. આચાર્યશ્રીએ ઘણું લખ્યું છે. જો કે એમાં ઘણુંખરું પ્રાસંગિક છે, પ્રચારાત્મક છે, અને ચિરંજીવી ગણી શકાય તેવું મૌલિક સાહિત્ય પણ તેમાં ઘણું છે, જેનાંથી એમની સર્જકશક્તિનાં આપણને દર્શન થાય છે. આ શક્તિ આચાર્યશ્રીની બહુશ્રુતતા પુરવાર કરે છે. આચાર્યશ્રીએ પૂ. વિજયાનંદસૂરિજીનું જીવનચરિત્ર લખ્યું. “વિશિષ્ટ નિર્ણય” તથા બીજાં પુસ્તકો એઓશ્રીએ ગુજરાનવાલામાં લખ્યાં, જેમાં એમણે અહિંસાનું સમર્થન કર્યું. વેદાદિક શાસ્ત્રો, ભાષ્યો, સુત્રો વગેરેમાંથી હિંસાવિરોધી દલીલો રજૂ કરી. અનેક અઠવાડિક પત્રોમાં અને સામયિકોમાં પ્રસંગોપાત્ત આચાર્યશ્રીએ લેખો લખ્યા અને જૈન સાહિત્યની રચના માટે પ્રેરણા આપી. આચાર્યશ્રીના વ્યાખ્યાનો તેમ જ બીજા સર્જનમાં કવિત્વના ચમકારા દેખાય છે. એઓશ્રીની ભાષા સરળ, બોધવાહી અને સુરેખ હતી. આચાર્યશ્રી ટૂંકા અને સચોટ, તર્કશીલ છતાં ઊર્મિથી ભરપૂર વાક્યો બોલતા. એમનાં કથિતમાં ઘણા ઉલ્લેખો આવતા. આથી સામાન્ય માનવી ઉપર તેની છાપ તરત જ પડી જતી. નીડર અને સ્પષ્ટભાષી
જેણે કંચન અને કામિનીનો ત્યાગ કર્યો છે તેવા સાધુઓને દુનિયામાં કોઈનાથી બીવાનું હોતું નથી. ત્યાગી માનવી પોતાની અમૂલ્ય શક્તિને કારણે કોઈની શેહમાં આવતો નથી. જે માણસને કંઈ પણ ગુમાવવાનો ભય નથી, જે પોતાના નક્કી કરેલા અમુક કાર્યક્ષેત્રમાં જ માને છે તે માનવી સદાયે સિંહસમો નિર્ભય હોય છે. જેને સિદ્ધાંતોમાં તડજોડ ન કરવી હોય તેનામાં સ્વાભાવિક રીતે જ આ નિર્ભયતા જન્મ છે. જે માનવી નિસ્વાર્થી છે, પ્રામાણિક છે, જે દુનિયામાં સીધા રાહે ચાલવા માગે છે, જે નિઃસ્પૃહી છે અને જે ચંચળ વસ્તુઓ માટે ઝંખતો નથી તે માનવી સદાયે નીડર હોય છે.
પંજાબ કેસરી” આચાર્યશ્રીની આ નીડરતા જાણીતી છે. એમનું બિરુદ પણ એ રીતે સાર્થ છે. ઉદેપુરમાં પ્રવચન વખતે કર્મનો સિદ્ધાંત સમજાવતા આચાર્યશ્રીએ એક દાખલો આપ્યો : “જુઓ. સામે બેઠેલા ઉદેપુરના મહારાજાને જુઓ. આ મહારાજાનું ઉપરનું અંગ કેટલું સુંદર છે ! નીચેના અંગમાં પગે ખોડ છે. કર્મરાજાનો આ પ્રતાપ છે. કર્મરાજા કોઈને ય છોડતા નથી અને જે કોઈ એમ માનતું હોય કે કર્મવાદ મિથ્યા છે તો એ માનવી મૂર્ખાઓના સ્વર્ગમાં વસતો હોવો જોઈએ. જૈન ધર્મ કહે છે કે કેમ એ જ સૌથી મોટી બળવાન વસ્તુ છે. સારું કર્મ કરે એ પુણ્યના બંધ બાંધે અને ખરાબકમી પાપના બંધ બાંધે.”
આચાર્યશ્રી વ્યાખ્યાનોમાં ધનપતિઓને ખાસ ટકોર કરી કહેતાઃ “લક્ષ્મી ચંચળ છે. કોઈ દિવસ એ સીધી ટકવાની નથી. લક્ષ્મી વાપરે વધે છે. માટે એનો ત્યાગ કરી ભોગવવી જોઈએ.... જે મોજશોખમાં જ લમનો ઉપયોગ કરશો તો પુણ્યથી મેળવેલી લક્ષ્મી પાપકર્મ બાંધનારી થઈ જશે. ધનનો આ નિયમ સનાતન છે...” આચાર્યશ્રી આ રીતે નીડરતાથી ટકોર કરતા અને અસત્ય વસ્તુનો વિરોધ કરતા. રાહ્યી ધર્મમાં દખલ કરે તો એમને પણ સ્પષ્ટ કહી દેતા, અને રાજ્યનો વિરોધ કરવામાં પહેલ કરતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org