________________
શ્રી પંચાસરા પાર્શ્વનાથના મંદિર વિષેના કેટલાક ઐતિહાસિક ઉલ્લેખો ૭૯ વસ્તુપાલે એ મન્દિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો એનો ઉલ્લેખ પણ કાવ્યના પહેલા સર્ગ(શ્લોક ૨૨)માં છે –
अणहिलपाटकनगरादिराजवनराजकीर्तिकेलिगिरिम् । पञ्चासरावजिनगृहमुद्दघे यः कुलं च निजम् ॥
૫. શ્રી પંચાસરા પાર્શ્વનાથના મંદિરમાંનો સં. ૧૩૦૧ નો શિલાલેખ આ મંદિરમાંની વનરાજની મૂર્તિ પાસેની ઠ૦ આસાની મૂર્તિ નીચે આ પ્રકારે શિલાલેખ છે(१) सं. १३०१ वर्षे वैशाख सुदि ९ शुक्रे पूर्वमंडलीवास्तव्य मोढशातीय नागेंद्र... (२) सुत श्रे० जालणपुत्रेण श्रे० राजुकुक्षीसमुद्भूतेन ठ० आशाकेन संसारासार... (३) योपार्जितवित्तेन अस्मिन् महाराजश्रीवनराजविहारे निजकीर्तिवल्लीवितान... (४) कारितः तथा च ठ० आसाकस्य मूत्तिरियं सुत ठ. अरिसिंहेन कारिता प्रतिष्ठिता... (૬) વધે છે પંચાસર્થે શ્રીરાપુરારિસંતાને શિષ્ય શ્રી... (६) देवचन्द्रसूरिभिः ॥ मंगलं महाश्रीः । शुभं भवतु ॥
આ શિલાલેખમાં પણ પંચાસરા તીર્થનો વનરાજવિહાર તરીકે ઉલ્લેખ છે. પંચાસરાના મન્દિરમાં શીલગુણસૂરિના શિષ્ય દેવચન્દ્રસૂરિની મૂર્તિ છે. એક મૂતિ વનરાજના મામા સુરપાળની ગણાય છે, પણ આખા યે મન્દિરમાંના બીજા કોઈ લેખમાં પંચાસરા પાર્શ્વનાથના મન્દિરનો ઉલ્લેખ નથી. એમાં એક માત્ર અપવાદ વનરાજની મૂર્તિ નીચેના લેખનો છે. એ શિલાલેખમાં સં. ૭૫૨ અને સં. ૮પરનો નિર્દેશ છે, પણ એની લિપિ એટલી પ્રાચીન લાગતી નથી. આ ઉપરાંત તેમાં સં. ૧૩૦૧ અને સં. ૧૪૧૭ના ઉલ્લેખ છે અને એક સ્થળે “મહમદ પાસાહ” અને “પીરોજસાહ'ની પણ વાત છે. એ મૂર્તિની નીચે તથા તેની આસપાસ નીચેના પથ્થર ઉપર ત્રણેક શિલાલેખો ભેગા થઈ ગયા છે અને ઘસાયેલા હોવાને કારણે તે વિશેષ દુર્વાચ્ય બન્યા છે. પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી, સ્વ. મોહનલાલ દલીચંદ દેસાઈ અને ૫. લાલચંદ ગાંધીએ એ બંધ બેસાડવા પ્રયત્ન કર્યો છે અને તેમણે તૈયાર કરેલી એ લેખની વાચના નાગેન્દ્રગથ્વીય દેવેન્દ્રસૂરિકૃત “ચન્દ્રપ્રભચરિત્રની પ્રસ્તાવના(પૃ. ૧૧)માં છપાઈ છે. એનો એકદેશ નીચે મુજબ છે –
...સં. ૨૦૭...શ્રીપાર્શ્વનાથત્યે શ્રીવનરાગ...રારા શ્રી હેમુ () શ્રીમળસ્વર રાવીયેતન त्रा पि...ति श्रीवनराजमूर्ति श्रीशीलगुणसूरि सगणे श्रीदेवचंद्रसूरिभिः प्रतिष्ठिता सं. १४१७ वर्षे
આ લેખમાંનું પાર્શ્વનાથ ચૈત્ય એટલે “પંચાસરા પાર્શ્વનાથ ત્ય' એમ ગણવું જોઈએ. વનરાજે બંધાવેલા અણહિલેશ્વર મહાદેવના મન્દિર (“શવાયતન”)ની પણ એમાં નિર્દેશ છે. વનરાજની મૂર્તિની પ્રતિષ્ઠા દેવચન્દ્રસૂરિના હસ્તે થઈ હોવાનું એમાં જણાવ્યું છે અને તેની જ સાથે સં. ૧૪૧૭નો ઉલ્લેખ છે એનો મેળ બેસતો નથી. આ શિલાલેખની વધારે સારી વાચનાની હજી અપેક્ષા રહે છે.
( ૬ મેસતુંગાચાર્યકૃત “પ્રબન્ધચિન્તામણિ (સં. ૧૩૬૧)
ગુજરાતના મધ્યકાલીન ઇતિહાસના સુપ્રસિદ્ધ સાધનગ્રન્થ “પ્રબન્ધચિન્તામણિ અનુસાર, વનરાજે શીલગુણસરિને પોતાના સિંહાસન ઉપર બેસાડીને પ્રત્યુપકારબુદ્ધિથી સપ્તાંગ રાજય આપવા માંડ્યું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org